________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
બોધપાહુડ)
૯૫
જાણે-જુએ નિર્મળ સુદગ સહુ, ચરણ નિર્મળ આચરે, તે વંદનીય નિર્ચન્થ-સંતરૂપ પ્રતિમા જાણજે. ૧૧
અર્થ:- જે શુદ્ધ આચરણનું સેવન કરે છે તથા સમ્યજ્ઞાનથી યથાર્થ વસ્તુને જાણે છે અને સમ્યગ્દર્શનથી પોતાના સ્વરૂપને દેખે છે-આ પ્રકારે શુદ્ધ સમ્યકત્વ જેનામાં હોય એવી નિર્ચન્થ સંયમ સ્વરૂપ “પ્રતિમા' છે તે વંદન કરવા યોગ્ય છે.
ભાવાર્થ- જાણવાવાળા, દેખવાવાળા, શુદ્ધ સમ્યકત્વ-શુદ્ધ ચારિત્રસ્વરૂપ નિગ્રંથ સંયમસહિત-આ પ્રકારે મુનિનું સ્વરૂપ છે તે જ “પ્રતિમા' છે. તે જ વંદન કરવા યોગ્ય છે; અન્ય કલ્પિત વંદન કરવા યોગ્ય નથી. અને તેવા જ રૂપસદશ ધાતુ-પાષાણની પ્રતિમાં હોય તો તે વ્યવહારથી વંદન યોગ્ય છે. ૧૧
હવે ફરી કહે છે:
दसणअणंतणाणं अणंतवीरिय अणंतसुक्खा य। सासयसुक्ख अदेहा मुक्का कम्मट्ठबंधेहिं ।। १२ ।। निरुवममचलमखोहा णिम्मिविया जंगमेण रूवेण। सिद्धट्ठाणम्मि ठिया वोसरपडिमा धुवा सिद्धा।।१३।। दर्शनानन्तज्ञानं अनन्तवीर्याः अनंतसुखाः च। शाश्वतसुखा अदेहा मुक्ताः कर्माष्टकबंधैः।।१२।। निरुपमा अचला अक्षोभाः निर्मापिता जंगमेन रूपेण। सिद्धस्थाने स्थिताः व्युत्सर्गप्रतिमा ध्रुवाः सिद्धाः।।१३।। *નિઃસીમ દર્શન-જ્ઞાન ને સુખ-વીર્ય વર્તે જેમને, શાશ્વત સુખી, અશરીરને કર્માષ્ટબંધવિમુક્ત જે, ૧૨. અક્ષોભ-નિરૂપમ-અચલ-ધ્રુવ, ઉત્પન્ન જંગમ રૂપથી, તે સિદ્ધ સિદ્ધિસ્થાનસ્થિત, વ્યુત્સર્ગપ્રતિમા જાણવી. ૧૩
અર્થ - જે અનંતદર્શન, અનંતજ્ઞાન, અનંતવીર્ય અને અનંતસુખ સહિત છે; શાશ્વત અવિનાશી સુખસ્વરૂપ છે; અદે છે-કર્મ-નોકર્મરૂપ પુદગલમયી દેહુ જેમને નથી; અષ્ટકર્મના બંધનથી રહિત છે; ઉપમા રહિત છે-જેની ઉપમા આપી શકાય એવી લોકમાં વસ્તુ નથી; અચળ છે-પ્રદેશોનું હલન-ચલન જેમને નથી; અક્ષોભ છે જેમના ઉપયોગમાં કંઈ ક્ષોભ નથી, નિશ્ચલ છે; જંગમરૂપે નિર્માપિત છે; કર્મથી સંપૂર્ણ મુક્ત થયા બાદ એક
૧ સુદગ = સમ્યગ્દર્શન. ર નિ:સીમ = અનંત. ૩ વ્યુત્સર્ગપ્રતિમા = કાયોત્સર્ગમય પ્રતિમા.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com