________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૯૪
(અષ્ટપાર્ટુડ
તેથી તેમની રક્ષા કરવાનો ઉપદેશ કરે છે. તથા તેઓ તેમનો ઘાત કરતા નથી. આ જ તેમનું હિત છે અને સંજ્ઞી પંચેન્દ્રિય જીવ છે તેમની પણ રક્ષા કરે છે, રક્ષાનો ઉપદેશ પણ કરે છે. તથા તેમને સંસારથી નિવૃત્તિરૂપ મોક્ષ પ્રાપ્ત કરવાનો ઉપદેશ કરે છે. આ પ્રકારે મુનિરાજને ચૈત્યગૃહ' કહે છે.
ભાવાર્થ - લૌકિક જન ચૈત્યગૃહનું સ્વરૂપ અન્યથા અનેક પ્રકારે માને છે. તેમને સાવધાન કર્યા છે કે, જિનસૂત્રમાં છ કાય જીવોનું હિત કરવાવાળા જ્ઞાનમયી સંયમી મુનિ છે તે ચૈત્યગૃહ” છે. બીજાને “ચૈત્યગૃહ” કહેવું માનવું વ્યવહાર છે. આ પ્રકારે “ચૈત્યગૃહ' નું સ્વરૂપ કહ્યું. ૯
(૩) હવે “જિનપ્રતિમા' નું નિરૂપણ કરે છે:
सपरा जंगमदेहा दंसणणाणेण सुद्धचरणाणं। णिग्गंथवीयराया जिणमग्गे एरिसा पडिमा।।१०।। स्वपरा जंगमदेहा दर्शनज्ञानेन शुद्धचरणानाम्। निर्ग्रन्थ वीतरागा जिनमार्गे ईद्दशी प्रतिमा।।१०।। દગ-જ્ઞાન-નિર્મળ ચરણધરની ભિન્ન જંગમ કાય જે, નિર્ચથ ને વીતરાગ, તે પ્રતિમા કહી જિનશાસને. ૧૦.
અર્થ:- જેમનું ચારિત્ર દર્શન-શાનથી શુદ્ધ-નિર્મળ છે તેમનો સ્વ-પરા અર્થાત્ પોતાનો અને પરનો ચાલતો-ફરતો દેહ છે તે જિનમાર્ગમાં “જંગમ પ્રતિમા ” છે. અથવા સ્વ-પરા અર્થાત્ આત્માથી “પર” એટલે કે ભિન્ન છે એવો દેહ છે. તે કેવો છે? જેનું નિર્ચન્થ સ્વરૂપ છે, કંઈ પણ પરિગ્રહ અંશમાત્ર નથી એવી દિગમ્બર મુદ્રા છે, જેનું વીતરાગ સ્વરૂપ છે, કોઈ પણ વસ્તુથી રાગ-દ્વેષ-મોહ નથી, જિનમાર્ગમાં આવી “પ્રતિમા' કહી છે. જેના દર્શન-શાનથી નિર્મળ ચારિત્ર પમાય છે. આ પ્રકારે મુનિઓની ગુરુ-શિષ્ય અપેક્ષાથી પોતાનો અને પરનો ચાલતો ફરતો દેહ નિર્ઝન્થ વીતરાગ મુદ્રા સ્વરૂપ છે તે જિનમાર્ગમાં “પ્રતિમા છે. અન્ય કલ્પિત છે. અને ધાતુપાષાણ આદિથી બનાવેલી દિગમ્બર મુદ્રાસ્વરૂપને ‘પ્રતિમા' કહે છે તે વ્યવહાર છે. તે પણ તેની બાહ્ય આકૃતિ તો તેવી જ હોય ને તે વ્યવહારમાં માન્ય છે. ૧૦
હવે ફરી કહે છે:
जं चरदि सुद्धचरणं जाणइ पिच्छेइ सुद्धसम्मत्तं। सा होई वंदणीया णिग्गंथा संजदा पडिमा।।११।। यः चरति शुद्धचरणं जानाति पश्यति शुद्धसम्यक्त्वम्। सा भवति वंदनीया निर्ग्रन्था संयता प्रतिमा।।११।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com