________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
બોધપાહુડ)
૯૩
છે. તથા જેમાં આવા નિર્ચન્થ મુનિઓ વસે છે તે ક્ષેત્રને પણ આયતન' કહે છે, તે વ્યવહાર
(૨) હવે “ચૈત્યગૃહ' નું નિરૂપણ કરે છે:
बुद्धं जं बोहंतो अप्पाणं चेदयाइं अण्णं च। पंचमहव्वय सुद्धं णाणमयं जाण चेदिहरं।।८।। बुद्धं यत् बोधयन् आत्मानं चैत्यानि अन्यत् च। पंचमहाव्रतशुद्धं ज्ञानमयं जानीहि चैत्यगृहम्।।८।। સ્વાત્મા-પરામા-અન્યને જે જાણતાં જ્ઞાન જ રહે,
છે ચૈત્યગૃહ, તે જ્ઞાનમૂર્તિ, શુદ્ધ પંચમહાવ્રત. ૮ અર્થ - જે મુનિ “બુદ્ધ' અર્થાત્ જ્ઞાનમયી આત્મા તેને જાણતો હોય, અન્ય જીવોને ચૈત્ય' અર્થાત્ ચેતનાસ્વરૂપ જાણતો હોય તથા પોતે જ્ઞાનમયી હોય અને પાંચ મહાવ્રતોથી શુદ્ધ હોય-નિર્મલ હોય તે મુનિને હે ભવ્ય ! તું “ચૈત્યગૃહ” જાણ.
ભાવાર્થ- જેનામાં સ્વ-પરનું જાણવાવાળું નિષ્પાપ, નિર્મળ એવું ચૈત્ય અર્થાત ચેતના સ્વરૂપ આત્મા વસે તે ચૈત્યગૃહ છે. ને આવું ચૈત્યગૃહ સંયમી મુનિ છે. અન્ય પાષાણ આદિનાં મંદિરને “ચૈત્યગૃહ” કહેવું તે વ્યવહાર છે. ૮ હવે ફરી કહે છે -
चेइय बंधं मोक्खं दुक्खं सुक्खं च अप्पयं तस्स। चेइहरं जिणमग्गे छक्कार्याहयंकरं भणियं ।।९।। चैत्यं बंधं मोक्षं दुःखं सुखं च आत्मकं तस्य।
चैत्यगृहं जिनमार्गे षड्कायहितंकरं भणितम्।।९।। ચેતન-સ્વયં, સુખ-દુઃખ-બંધન-મોક્ષ જેને અલ્પ છે,
ષટ્ટાયહિતકર તેહ ભાખ્યું ચૈત્યગૃહ જિનશાસને. ૯ અર્થ:- જેને બંધ અને મોક્ષ, સુખ અને દુ:ખ હોય તે આત્માને “ચૈત્ય' કહે છે. અર્થાત્ આ ચિહ્નો જેના સ્વરૂપમાં હોય તેને “ચૈત્ય' કહે છે. કેમકે જે ચેતના સ્વરૂપ હોય તેને બંધ, મોક્ષ, સુખ, દુઃખ સંભવે છે. આ પ્રકારે ચૈત્યનું જે ગૃહ હોય તે “ચૈત્યગૃહુ' છે. જિનમાર્ગમાં આ પ્રકારે “ચૈત્યગૃહ” છકાયના હિત કરવાવાળા હોય છે, તે આ પ્રકારના “મુનિ' છે. પાંચ સ્થાવર અને ત્રસમાં વિકલત્રય અને અસંજ્ઞી પંચેન્દ્રિય સુધી કેવળ રક્ષા જ કરવા યોગ્ય છે.
૧ અલ્પ = ગૌણ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com