________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૯૦
(અષ્ટપાહુડ
જે આચાર્યોને વંદન કર્યા તે આચાર્યો કેવા છે? ઘણાં શાસ્ત્રોના અર્થને જાણવાવાળા છે. તથા કેવા છે? જેમનું તપશ્ચરણ સમ્યકત્વ અને સંયમથી શુદ્ધ છે. તથા કેવા છે? કષાયરૂપ મળથી રહિત છે તેથી શુદ્ધ છે.
ભાવાર્થ- અહીં આચાર્યોને વંદન કર્યા તેમના વિશેષણોથી જાણવામાં આવે છે કેગણધરાદિકથી લઈને પોતાના ગુરુ પર્યતને વંદન કર્યા છે. અને ગ્રંથ રચવાની પ્રતિજ્ઞા કરી તેના વિશેષણોથી જાણવામાં આવે છે કે જે બોધપાહુડ ગ્રંથ રચશે તે લોકોને ધર્મમાર્ગમાં સાવધાન કરી, કુમાર્ગ છોડાવી, અહિંસાધર્મનો ઉપદેશ કરશે. ૧-૨ હવે આ બોધપાહુડમાં અગિયાર સ્થાન એકઠાં કર્યા છે તેનાં નામો કહે છે:
आयदणं चेदिहरं जिणपडिमा दंसणं च जिणबिंबं। भणियं सुवीयरायं जिणमुद्रा णाणमादत्थं ।।३।। अरहतेण सुदिलु जं देवं तित्थमिह य अरहंतं। पावज्जगुणविसुद्धा इय णायव्वा जहाकमसो।।४।। आयतनं चैत्यगृहं जिनप्रतिमा दर्शनं च जिनबिंबम्। भणितं सुवीतरागं जिनमुद्रा ज्ञानमात्मार्थ ।।३।। अर्हता सुद्दष्टं यः देवः तीर्थमिह च अर्हन्। प्रव्रज्या गुणविशुद्धा इति ज्ञातव्याः यथाक्रमशः।। ४ ।। જે આયતન ને ચૈત્યગૃહ, પ્રતિમા તથા દર્શન અને વીતરાગ જિનનું બિંબ, જિનમુદ્રા, સ્વહેતુક જ્ઞાન જે, ૩.
અહંતદેશિત દેવ, તેમ જ તીર્થ, વળી અહત ને
‘ગુણશુદ્ધ પ્રવજ્યા યથાક્રમશઃ અહીં જ્ઞાતવ્ય છે. ૪ અર્થ:- ૧આયતન, રચૈત્યગૃહ, ઉજિનપ્રતિમા, ૪દર્શન, પજિનબિંબ. જિનબિંબ કેવું છે? સર્વ પ્રકારે વીતરાગ છે. ૬ જિનમુદ્રા-રાગસહિત હોતી નથી. ૭ જ્ઞાન. જ્ઞાનપદ કેવું છે? અર્થાત્ જેમાં અર્થ પ્રયોજન આત્મા જ છે. આ રીતે સાત તો આ નિશ્ચયસ્થાન વીતરાગ દેવે કહ્યા તેને યથાઅનુક્રમથી જાણવા અને ૮દેવ, ૯તીર્થ, ૧૦અરિહંત તથા ૧૧ગુણથી વિશુદ્ધ પ્રવ્રજ્યા (દીક્ષા) આ ચાર જે અરિહંત ભગવાને કહ્યા છે તેવા જ આ ગ્રંથમાં જાણવા. આવી રીતે આ અગિયાર સ્થાન થયાં. ૩-૪
૧ ‘‘નાત્મશું '' સંસ્કૃતમાં પાઠાન્તર છે. ૨ અતદેશિત = અર્હત ભગવાને કહેલ. ૩ ગુણશુદ્ધપ્રવજ્યા = ગુણથી શુદ્ધ એવી દીક્ષા.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com