________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
FFFFFFFFFFFFFFFFFFF
-૪બોધ પાહુડ
FFFFFFFFFFFFFFFFFFF
(દોહા) દેવ જિનેશ્વર સર્વગુરુ, વંદું મન-વચ-કાય, જા પ્રસાદ ભવિ બોધ લે, પાર્લે જીવ નિકાય. ૧
આ પ્રમાણે મંગલાચરણ દ્વારા શ્રી કુન્દકુન્દાચાર્યકૃત પ્રાકૃત ગાથાબદ્ધ બોધપ્રાભૃતની દેશભાષામય વચનિકા લખીએ છીએ. ત્યાં પ્રથમ જ આચાર્ય ગ્રંથ રચવાની મંગલપૂર્વક પ્રતિજ્ઞા કરે છે:
बहसत्थअत्थजाणे संजमसम्मत्तसुद्धतवचरणे। बंदित्ता आयरिए कसायमलवज्जिदे सुद्धे ।।१।।
सयलजणबोहणत्थं जिणमग्गे जिणवरेहि जह भणियं। वोच्छामि समासेण 'छक्काचसुहंकरं सुणह।।२।।
बहुशास्त्रार्थज्ञापकान् संयमसम्यक्त्वशुद्धतपश्चरणान्। वन्दित्वा आचार्यान् कषायमलवर्जितान् शुद्धान्।।१।।
सकलजनबोधनार्थं जिनमार्गे जिनवरैः यथा भणितम्। वक्ष्यामि समासेन षट्काय सुखंकरं श्रृणु।।२।। युग्मम्।।
શાસ્ત્રાર્થ બહુ જાણે સુક્ષ્મસંયમવિમળ તપ આચરે, વર્જિતકષાય, વિશુદ્ધ છે, તે સૂરિગણને વંદીને; ૧
પદ્ધયસુખકર કથન કરૂં સંક્ષેપથી સુણજો તમે, જે સર્વજનબોધાર્થ જિનમાર્ગે કહ્યું છે જિનવરે. ૨
અર્થ:- આચાર્ય કહે છે કે-હું આચાર્યોના સમૂહને નમસ્કાર કરી છકાયના જીવોને સુખ કરવાવાળા જિનમાર્ગમાં જિનદેવે જેવું કહ્યું છે તેવું જેમાં સમસ્ત લોકના હિતનું જ પ્રયોજન છે એવો ગ્રંથ સંક્ષેપમાં કહીશ. તેને હે ભવ્ય જીવો! તમે સાંભળો.
૧ છપાયેલ સંસ્કૃત ટીકાવાળી પ્રતમાં ‘‘ છવાયરિયંવર'' એવો પાઠ છે ૨ સુદગસંયમવિમળ તપ = સમ્યગ્દર્શન ને સંયમથી શુદ્ધ એવું તપ. ૩ વર્જિતકષાય = કષાયરહિત. ૪ સૂરિગણ = આચાર્યોનો સમૂહ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com