________________
८८
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
હવે આ ચારિત્ર પાહુડ ભાવવાનો ઉપદેશ અને એનું ફળ કહે છેઃ
भावेह भावसुद्धं फुडु रइयं चरणपाहुडं चेव । लहु चउगइ चइऊणं अइरेणऽपुणब्भवा होई ।। ४५ ।।
भावयत भावशुद्धं स्फुटं रचितं चरणप्राभृतं चैव । लघु चतुर्गती: व्यक्त्वा अचिरेण अपुनर्भवाः भवत ।। ४५ ।।
ભાવો વિમળ ભાવે ચ૨ણપ્રાકૃત સુવિરચિત સ્પષ્ટ જે, છોડી ચતુર્ગતિ શીઘ્ર પામો મોક્ષ શાશ્વતને તમે. ૪૫
અર્થ:- અહીં આચાર્ય કહે છે કે, હે ભવ્ય જીવો! આ ચરણ અર્થાત્ ચારિત્ર પાહુડ અમે સ્પષ્ટ પ્રગટ કરીને બતાવ્યું છે. તમે તેને પોતાના શુદ્ધ ભાવથી ભાવો. પોતાના ભાવોમાં વારંવાર અભ્યાસ કરો. તેથી શીઘ્ર જ ચાર ગતિઓને છોડીને અપુનર્ભવ જે મોક્ષ તે તમને થશે-ફરીને સંસારમાં જન્મ નહિ પામો.
ભાવાર્થ:- આ ચારિત્ર પાહુડને વાંચો, ભણો, ધા૨ણ કરો, વારંવાર ભાવો, અભ્યાસ કરો-આ ઉપદેશ છે. તેથી ચારિત્રના સ્વરૂપને જાણીને, ધારણ કરવાની રુચિ થશે. તમે તેનો અંગીકાર કરશો ત્યારે ચાર ગતિરૂપ સંસારના દુ:ખથી રહિત થઈ નિર્વાણને પ્રાપ્ત થશો. ફરી સંસારમાં જન્મ ધારણ નહિ કરવો પડે. માટે જે કલ્યાણને ચાહે છે તે આ પ્રમાણે કરો. ૪૫
છપ્પય
ચારિત દોય પ્રકા૨ દેવ જિનવ૨ને ભાખ્યા, સમકિત સંયમ ચ૨ણ જ્ઞાન પૂરવ તિસ રાખ્યા.
જે ન૨ સ૨ધાવાન યાહિ ધારૈ વિધિ સેતી, નિશ્ચય અર વ્યવહા૨ રીતિ આગમમેં જેતી. જબ જગધંધા સબ મેટિકૈ નિજ સ્વરૂપમેં થિર રહૈ, તબ અષ્ટ કર્મરૂં નાશિકે અવિનાશી શિવકું લહૈ. ૧
(અષ્ટપાહુડ
આવા સમ્યક્ત્વાચરણ ચારિત્ર અને સંયમાચરણ ચારિત્ર-બે પ્રકારના ચારિત્રનું સ્વરૂપ આ પાહુડમાં કહ્યું.
દોહા જિનભાષિત ચારિત્રકું જે પાલૈ: મુનિરાજ,
તિનિકે ચ૨ણ નમું સદા પાઉં તિનિ સુખસાજ. ૨
ઈતિશ્રી કુન્દકુન્તાચાર્ય સ્વામી વિરચિત ચારિત્ર પાહુડની પંડિત જયચંદ્રજી છાબડા કૃત દેશભાષામય વનિકા સમાપ્ત.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com