________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ચારિત્રપાહુડ )
વસ્તુને જાણતો નથી. તેથી ઇષ્ટ વસ્તુનો લાભ પામતો નથી. એટલે સમ્યજ્ઞાનથી જ ગુણ-દોષ જાણી શકાય છે. કેમકે સમ્યજ્ઞાન વિના શ્ય-ઉપાદેય વસ્તુઓનું જાણવું બની શકતું નથી અને હેય-ઉપાદેયને જાણ્યા વિના સમ્યક ચારિત્ર થતું નથી. માટે જ્ઞાનને જ ચારિત્રથી પ્રધાન કહ્યું છે.૪૨
હવે કહે છે કે જે સમ્યજ્ઞાન સહિત ચારિત્ર ધારણ કરે છે તે અલ્પ કાળમાં જ અનુપમ સુખ પામે છે -
चारित्तसमारूढो अप्पासु परं ण ईहए णाणी। पावइ अइरेण सुहं अणोवमं जाण णिच्छयदो।। ४३।। चारित्रसमारूढ आत्मनि' परं न ईहते ज्ञानी। प्राप्नोति अचिरेण सुखं अनुपमं जानीहि निश्वयतः।। ४३।। જ્ઞાની ચરિત્રારૂઢ થઈ નિજ આત્મમાં પ૨ નવ ચહે,
અચિરે લહે શિવસૌખ્ય અનુપમ એમ જાણો નિશ્ચયે. ૪૩ અર્થ - જે પુરુષ જ્ઞાની છે અને ચારિત્ર સહિત છે તે પોતાના આત્મામાં પરદ્રવ્યની ઇચ્છા કરતા નથી, પરદ્રવ્યમાં રાગ-દ્વેષ-મોહ કરતા નથી. તે જ્ઞાની જેની ઉપમા નથી એવાં અવિનાશી મોક્ષસુખને પામે છે. જે ભવ્ય ! તું નિશ્ચયથી આ પ્રમાણે જાણ. અહીં જ્ઞાની થઈ હેયઉપાદેયને જાણી, સંયમી બની પારદ્રવ્યને પોતામાં મેળવતા નથી તે પરમ સુખ પામે છે એમ બતાવ્યું છે. ૪૩ હવે ઇષ્ટ ચારિત્રના કથનને સંકોચ છે:
एवं संखेवेण य भणियं णाणेण वीयराएण। सम्मत्तसंजमासयदुण्हं पि उदेसियं चरणं ।। ४४।। एवं संक्षेपेण च भणितं ज्ञानेन वीतरागेण। सम्यक्त्वसंयमाश्रयद्वयोरपि उद्देशितं चरणम्।। ४४।। વીતરાગદેવે જ્ઞાનથી સમ્યકત્વ-સંયમ-આશ્રયે
જે ચરણ ભાખ્યું તે કહ્યું સંક્ષેપથી અહીં આ રીતે. ૪૪ અર્થ:- એવું અર્થાત્ એવા પૂર્વોક્ત પ્રકારે સંક્ષેપથી શ્રી વીતરાગદેવે જ્ઞાન દ્વારા જે કહ્યું એ પ્રકારે સમ્યકત્વ અને સંયમ આ બન્નેના આશ્રયે સમ્યકત્વચરણસ્વરૂપ અને સંયમ ચરણસ્વરૂપ એમ બે પ્રકારથી ચારિત્રનો ઉપદેશ કર્યો છે. આમ આચાર્ય ચારિત્રના કથનને સંક્ષેપરૂપથી કહી સંકોચ કર્યો છે. ૪૪
- સંસ્કૃત પ્રતિમાં આત્મનિ ની જગ્યા
૧ સંસ્કૃત પ્રતિમાં ‘નાત્મનિ' ની જગ્યાએ ‘નાત્મ:' શ્રુતસાગરી સંસ્કૃત ટીકા મુદ્રિત પ્રતમાં ટીકામાં
અર્થ પણ ‘નાત્મ:' નો જ કર્યો છે. દે. પૃષ્ઠ ૫૪.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com