________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૦ : અધ્યાત્મ-સંદેશ
નિર્વિકલ્પ સ્વાનુભવને પ્રત્યક્ષ કહ્યો તથા તેમાં આનંદની ખાસ વિશેષતા કહી, આમ તેનો ઘણો મહિમા કર્યો. તો આવો સ્વાનુભવ કયા ગુણસ્થાને થાય? કોઈ મોટા મુનિઓને જ આવો સ્વાનુભવ થતો હશે, કે ગૃહસ્થનેય થતો હશે? એ વાત હવેના પ્રશ્ન-ઉત્તરથી સ્પષ્ટ કરે છે.
એક પિતા પોતાના પુત્રોને શિખામણ આપે છે
લૌકિક યોગ્યતા અને સજ્જનતા ઉપરાંત, ભગવાન અતદેવ દ્વારા ઉપદિષ્ટ રત્નત્રય ધર્મને કદી ન ભૂલો. શાસ્ત્રજ્ઞની સંગતિ કરો. રત્નત્રયથી ભૂષિત સજ્જનોનો આદર અને સમાગમ કરો. મુનિ-આર્થિકાશ્રાવક-શ્રાવિકા એ ચતુર્વિધ સંઘની જ્યારે જ્યારે અવસર મળે ત્યારે આદરપૂર્વક વંદના કરો... અને રત્નત્રયના સેવનમાં સદા તત્પર રહો.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk