________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
નિર્વિકલ્પ-સ્વાનુભવનું પ્રત્યક્ષપણું
5
“પ્રશ્નઃ- એ સ્વાનુભવમાં પણ આત્મા પરોક્ષ જ છે તો ગ્રંથોમાં એ અનુભવને પ્રત્યક્ષ કેમ કહ્યો છે? ઉપરની ગાથામાં જ (પૃષ્ઠ ૩૮ માં ) કહ્યું છે કે ‘પન્નવો અનુવો નહ્યા.’
તેનું સમાધાનઃ- અનુભવમાં આત્મા તો પરોક્ષ જ છે, કાંઈ આત્માના પ્રદેશનો આકાર તો ભાસતો નથી, પરંતુ સ્વરૂપમાં પરિણામ મગ્ન થતાં જે સ્વાનુભવ થયો તે પ્રત્યક્ષ છે. એ સ્વાનુભવનો સ્વાદ કાંઈ આગમ-અનુમાનાદિક પરોક્ષપ્રમાણાદિ વડે નથી જણાતો, પોતે જ એ અનુભવના રસાસ્વાદને વેદે છે. જેમ કોઈ અંધ મનુષ્ય સાકારને આસ્વાદે છે ત્યાં સાકરના આકારાદિ તો પરોક્ષ છે પણ જીભ વડે જે સ્વાદ લીધો છે તે સ્વાદ પ્રત્યક્ષ છે એમ જાણવું. (આ પ્રકારે સ્વાનુભવનું પણ પ્રત્યક્ષપણું જાણવું.)
અથવા, જે પ્રત્યક્ષ જેવું હોય તેને પણ પ્રત્યક્ષ કહીએ છીએ; જેમ લોકમાં પણ કહીએ છીએ કે ‘અમે સ્વપ્નમાં કે ધ્યાનમાં અમુક પુરુષને પ્રત્યક્ષ દેખ્યો' ત્યાં પ્રત્યક્ષ દેખ્યો નથી પરંતુ પ્રત્યક્ષની જેમ પ્રત્યક્ષવત યથાર્થ દેખ્યો તેથી તેને પ્રત્યક્ષ કહીએ છીએ. તેમ અનુભવમાં આત્મા પ્રત્યક્ષની જેમ યથાર્થ પ્રતિભાસે છે, તેથી આ ન્યાયે આત્માનું પણ પ્રત્યક્ષ જાણવું હોય છે એમ કહીએ છીએ, તેમાં દોષ નથી. કથન અનેક પ્રકારનાં છે તે સર્વે આગમ-અધ્યાત્મશાસ્ત્રો સાથે વિરોધ ન આવે તે રીતે વિવક્ષાભેદ વડે જાણવાં. ”
સાધકને આ સ્વાનુભવમાં મતિ-શ્રુતજ્ઞાન છે તે અપેક્ષાએ તેને ભલે પરોક્ષ કહ્યો, પરંતુ સ્વાનુભવના આનંદનું વેદન તો મતિશ્રુતજ્ઞાનીને પણ કેવળજ્ઞાની જેવું સાક્ષાત્ છે; આનંદનું વેદન કાંઈ પરોક્ષ નથી. માટે સ્વાનુભવને પ્રત્યક્ષ કહ્યો છે. જેમ અંધમનુષ્ય સાકરના રંગ વગેરેને નજરે નથી દેખતો તે
Please inform us of any errors on rajesh.shah@fofalise.co.uk