________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
રહસ્યપૂર્ણ ચિઠ્ઠી : ૬૭ * જ્યાં સમ્યગ્દર્શન હોય ત્યાં નિર્વિકલ્પ સ્વાનુભૂતિ વર્તતી હોય કે ન
પણ વર્તતી હોય. અને જ્યાં નિર્વિકલ્પ સ્વાનુભૂતિ ન હોય ત્યાં સમ્યકત્વ ન હોય અથવા હોય પણ ખરૂં.
* સમ્યગ્દર્શન પ્રગટવાના કાળે તો નિર્વિકલ્પ સ્વાનુભૂતિ હોય જ એ
નિયમ છે. ત્યાર પછીના કાળે સમકિતીને તે અનુભૂતિ કોઈ વાર હોય, કોઈ વાર ન પણ હોય, પણ શુદ્ધાત્મપ્રતીત તો સદૈવ હોય જ.
જ્યારે ઉપયોગને અંદર થંભાવીને નિર્વિકલ્પ સ્વાનુભવમાં પરિણામને મગ્ન કરે ત્યારે તેને કોઈ વિશિષ્ટ આનંદનું વેદના થાય છે.
[ હવે, આ સ્વાનુભવ વખતે મતિ-શ્રુતજ્ઞાન હોવાથી તેને પરોક્ષ કહ્યો છે, અને શાસ્ત્રોમાં કોઈ ઠેકાણે સ્વાનુભવને પ્રત્યક્ષ પણ કહ્યો છે, તે સંબંધી સ્પષ્ટીકરણ પ્રશ્નોત્તર દ્વારા કહે છે:- ]
સ્વાધીનતાની હુવા રે જીવ! તું સ્વસહાયી છો, પરાધીન નથી. પરાધીનતાના ભાવમાં અનંત કાળથી ગુંગળાઈ રહ્યો છો, સ્વાધીનતાને તો એકવાર જો. એક ક્ષણ તો સ્વાધીનતાની હવા લે ! તારી સ્વાધીનતાના અચિંત્ય મહિમાને તે જાણ્યો નથી, તેથી નિમિત્તાધીનબુદ્ધિથી જ્યાંત્યાં તારો ઉપયોગ ભમ્યા કરે છે. એ ભ્રમણ ટાળવાની ને સ્વરૂપમાં ઠરવાની રીત સંતો બતાવે છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk