________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પર : અધ્યાત્મ-સંદેશ
આ રીતે સમ્યગ્દર્શનમાં ઔપશમિક આદિ ત્રણ પ્રકારો છે, અથવા નિમિત્તઅપેક્ષાએ અધિગમજ ને નિસર્ગજ એવા બે પ્રકાર છે, પરંતુ પ્રત્યક્ષ અને પરોક્ષ એવા પ્રકારો સમ્યગ્દર્શનમાં નથી. પ્રત્યક્ષ અને પરોક્ષ એવા ભેદ તો પ્રમાણ-જ્ઞાનમાં છે, તેનું વિવેચન હવે કરે છે.
સ્વાનુભવનો રંગ....... અને તેની ભૂમિકા
જીવે શુદ્ધાત્માના ચિંતનનો અભ્યાસ કરવો જોઈએ. જેને ચૈતન્યના સ્વાનુભવનો રંગ લાગે એને સંસારનો રંગ ઊતરી જાય. ભાઈ, તું અશુભ ને શુભ બનેથી દૂર થા ત્યારે શુદ્ધાત્માનું ચિંતન થશે. જેને હુજી પાપના તીવ્ર કષાયોથી પણ નિવૃત્તિ નથી, દેવ-ગુરુની ભક્તિ, ધર્માત્માનું બહુમાન, સાધર્મીઓનો પ્રેમ વગેરે અત્યંત મંદકષાયની ભૂમિકામાં પણ જે નથી આવ્યો તે અકષાય ચૈતન્યનું નિર્વિકલ્પધ્યાન કયાંથી કરશે? પહેલાં બંધાય કષાયનો (શુભ-અશુભનો ) રંગ ઊડી જાય...
જ્યાં એનો રંગ ઊડી જાય ત્યાં એની અત્યંત મંદતા તો સહેજે થઈ જ જાય, ને પછી ચૈતન્યનો રંગ ચડતાં તેની અનુભૂતિ પ્રગટે. બાકી પરિણામને એકદમ શાંત કર્યા વગર એમને એમ અનુભવ કરવા માંગે તો થાય નહિ. અહીં, અનુભવી જીવની અંદરની દશા કોઈ ઓર હોય છે !
5
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk