________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૦ : અધ્યાત્મ-સંદેશ
અહો, જુઓ આ સમ્યગ્દર્શનની ને સ્વાનુભવની ચર્ચા! આ મૂળભૂત વસ્તુ છે. સ્વાનુભવ શું ચીજ છે તેની ઓળખાણ પણ જીવોને કઠણ છે. પહેલાં વસ્તુસ્વરૂપનો યથાર્થ નિર્ણય કરે, જીવ શું, અજીવ શું, સ્વભાવ શું, પરભાવ શું, તે બરાબર ઓળખીને પછી મતિશ્રુતજ્ઞાનને અંતરમાં વાળીને સ્વદ્રવ્યમાં પરિણામને એકાગ્ર કરતાં સમ્યગ્દર્શન અને સ્વાનુભવ થાય છે. આવો અનુભવ કરે ત્યારે જ મોહની ગાંઠ તૂટે છે, ને ત્યારે જ જીવ ભગવાનના માર્ગમાં આવે છે.
ભાઈ ! આ તો સર્વજ્ઞનો નિગ્રંથ માર્ગ છે. જો તું સ્વાનુભવ વડ મિથ્યાત્વની ગાંઠ ન તોડ તો નિગ્રંથમાર્ગમાં કઈ રીતે આવ્યો? જન્મમરણની ગાંઠને જો ન તોડી તો નિગ્રંથમાર્ગમાં જન્મીને તે શું કર્યું? ભાઈ, આવો અવસર મળ્યો તો એવો ઉદ્યમ કર કે જેથી આ જન્મ-મરણની ગાંઠ તૂટે ને અલ્પકાળમાં મુક્તિ થાય.
આમાં સમ્યગ્દર્શનનું સ્વરૂપ અને તે પ્રગટ કરવાની રીત પણ ભેગી જ આવી જાય છે. જેણે સમ્યગ્દર્શન પ્રગટ કરવું હોય તેણે શું કરવું? સમ્યગ્દર્શન કયાં શોધવું?
* પરમાં શોધે તો સમ્યગ્દર્શન મલે તેમ નથી. * દેહાદિની ક્રિયામાં કે શુભરાગમાં પણ સમ્યગ્દર્શન મલે તેમ નથી. * સમ્યગ્દર્શન તો આત્માના સ્વભાવનો જ ભાવ છે એટલે આત્મામાંથી
જ તે મળે. * આત્મા આનંદ અને જ્ઞાનસ્વરૂપ છે, અંતર્મુખ થઈને તેની નિર્વિકલ્પ
પ્રતીતિ કરવી તે સમ્યગ્દર્શન છે. * તે સમ્યગ્દર્શન મન અને ઇન્દ્રિયોથી પાર નિર્વિકલ્પ આત્મપ્રતીતિરૂપ
* તે સમ્યગ્દર્શન સ્વમાં ઉપયોગ વખતે કે પરમાં ઉપયોગ વખતે એક
સરખું વર્તે છે. * પ્રત્યક્ષ અને પરોક્ષ એવા ભેદ સમ્યગ્દર્શનમાં નથી. * જ્ઞાન અંતર્મુખ થતાં આત્માના નિર્વિકલ્પ આનંદનો અનુભવ થાય
અને તેની સાથે “આ જ હું છું' એવી સમ્યક આત્મપ્રતીતિ થાય તે જ સમ્યગ્દર્શન છે. તે સમ્યગ્દર્શન નિર્વિકલ્પસ્વાનુભવમાં થયું, પણ પછી વિકલ્પમાં આવતાં તે સમ્યગ્દર્શન ચાલ્યું જતું નથી. ભ્રાંતિરહિત સમ્યક આત્મપ્રતીતિ ધર્મીને સદાય રહ્યા કરે છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk