________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૪ : અધ્યાત્મ-સંદેશ
અલિંગગ્રાહ્ય” છે, લિંગથી એટલે કે ઇન્દ્રિયો દ્વારા તેનું ગ્રહણ થતું નથી, ઇન્દ્રિયો દ્વારા તે જણાતો નથી. એટલે સ્વાનુભવથી આત્માને જાણનારું જ્ઞાન અતીન્દ્રિય છે.
-મતિ-શ્રુતજ્ઞાન પણ અતીન્દ્રિય!!
-હા, ભાઈ ! એ મતિ-શ્રુતજ્ઞાનની જ આ વાત છે. આ કાંઈ કેવળજ્ઞાનીની વાત નથી. ઠેઠ બારમા ગુણસ્થાન સુધી સ્વાનુભવનું કાર્ય તો મતિ-શ્રુતજ્ઞાનથી જ થાય છે. કોઈને અવધિ-મન:પર્યય જ્ઞાન ખીલ્યા હોય તોપણ નિર્વિકલ્પ ધ્યાન વખતે તે એકકોર રહી જાય છે, તેનો ઉપયોગ હોતો નથી. મતિ-શ્રુતજ્ઞાન સ્વાનુભવ વખતે સ્વમાં એવા એકાકાર પરિણમી જાય છે કે, હું જ્ઞાતા છું ને શુદ્ધાત્મા મારું સ્વય છે. એવા જ્ઞાતાશયના ભેદનો વિચાર પણ ત્યાં રહેતો નથી, ત્યાં તો દ્રવ્યપર્યાય (ધ્યેય ને ધ્યાતા અથવા શેય ને જ્ઞાન ) એકરસ થઈને અનુભવાય છે. એ અનુભવનો મહિમા વાણી ને વિકલ્પથી પર છે. પોતાના સંવેદન વગર એકલી વાણી કે વિકલ્પથી તેનો ખરો ખ્યાલ ન આવે. માટે સમયસારમાં આચાર્યદવે ખાસ ભલામણ કરી છે કે નિજવૈભવથી હું જે શુદ્ધ આત્મા દર્શાવું છું તે તમે તમારા સ્વાનુભવથી પ્રમાણ કરજો.
અહા, અધ્યાત્મરસની આવી વાત! એની વિચારધારા, એનો નિર્ણય, ને એનો સ્વાનુભવ, એ જ કરવા જેવું છે. સતત એને માટે અભ્યાસ જોઈએ. સત્સમાગમ શ્રવણ કરી, મનન કરી, એકાંતમાં સ્થિર ચિત્તે એનો અભ્યાસ કરવો જોઈએ. આ મનુષ્યભવમાં ખરૂં કરવા જેવું આ જ છે, ને અત્યારે ખરો અવસર છે. - સર્વ અવસર મા ચૂT હૈ
આ પ્રમાણે મતિ-શ્રુતજ્ઞાન દ્વારા જે સ્વાનુભવ થાય છે તેનું અતીન્દ્રિયપણું બતાવ્યું; છતાં જ્ઞાનમાં હજી મનનું અવલંબન સર્વથા છૂટી ગયું નથી તે પણ દર્શાવે છે:
સ્વસત્તાના અવલંબને જ્ઞાની નિજાત્માને અનુભવે છે. અહો ! આવા સ્વાનુભવજ્ઞાનથી મોક્ષમાર્ગને સાધનાર જ્ઞાનીના મહિમાની શી વાત! એની દશાને ઓળખનારા જીવો ન્યાલ થઈ ગયા છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk