________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬ : અધ્યાત્મ-સંદેશ રહી ગયું એટલે અતીન્દ્રિય નિર્વિકલ્પ-અનુભૂતિ થઈ, પરમ આનંદ થયો. આવી અનુભૂતિમાં પ્રતિક્રમણ, સામાયિક, પ્રત્યાખ્યાન વગેરે બધા ધર્મો સમાઈ જાય છે. આ અનુભૂતિને જ જૈનશાસન કહ્યું છે, એ જ વીતરાગમાર્ગ છે, એ જ જૈનધર્મ છે, એ જ શ્રુતનો સાર છે, સંતોની ને આગમની એ જ આજ્ઞા છે. શુદ્ધાત્મ-અનુભૂતિનો અપાર મહિમા છે તે કયાંસુધી કહીએ? જાતે અનુભૂતિ કરે એને એની ખબર પડે.
આ કોની વાત છે? ગૃહસ્થ સમકિતીની વાત છે. જે હજી ઘરકુટુંબ-પરિવાર વચ્ચે રહેલો છે, વેપાર-ધંધા-રસોઈ વગેરેના ભાવ કરે છે ને અંદર એ બધાથી ભિન્ન શુદ્ધાત્માને પણ જાણ્યો છે, તે જીવ ઉદ્યમ વડે બહારથી પરિણામને પાછા ખેંચીને, ઉપયોગને નિજસ્વરૂપમાં જોડ છે ને નિર્વિકલ્પ અનુભવ કરે છે તેની આ વાત છે. આવો અનુભવ ચારગતિના જીવોને (તિર્યંચ અને નરકને પણ) થઈ શકે છે. પહેલાં જેણે સાચો તત્ત્વનિર્ણય કર્યો હોય, વીતરાગી દેવ-ગુરુ-ધર્મની ઓળખાણ કરી હોય, નવતત્ત્વમાં વિપરીતતા દૂર કરી હોય, પર્યાયમાં આસ્રવ-બંધરૂપ વિકાર છે, શુદ્ધ દ્રવ્યના આશ્રયે એ ટળીને શુદ્ધાત્મઅનુભૂતિથી સંવરનિર્જરારૂપ શુદ્ધદશા પ્રગટે છે, –આમ અનેકાંતવડે દ્રવ્ય-પર્યાય બધા પડખાના જ્ઞાનપૂર્વક શુદ્ધ અનુભવ થાય છે. અન્ય લોકો જે શુદ્ધ અનુભવની વાત કરે છે તેમાં અને જૈનના શુદ્ધઅનુભવમાં મોટો ફેર છે; અન્ય લોકો તો, પર્યાયમાં અશુદ્ધતા હતી ને શુદ્ધતા થઈ એના સ્વીકાર વગર એકાંત શુદ્ધ-શુદ્ધની વાત કરે છે પણ એવો (શુદ્ધ પર્યાય વિનાનો) શુદ્ધ અનુભવ હોય નહિ. જૈનનો શુદ્ધઅનુભવ તો શુદ્ધ-પર્યાયના સ્વીકાર સહિત છે. પહેલાં અશુદ્ધતા હતી તે ટળીને શુદ્ધપર્યાય થઈ તેને જો ના સ્વીકારે તો શુદ્ધતાનો અનુભવ કર્યો કોણે? ને એ અનુભવનું ફળ શેમાં આવ્યું? દ્રવ્ય અને પર્યાય એ બંનેના સ્વીકારરૂપ અનેકાંત વગર અનુભવ, અનુભવનું ફળ એ કાંઈ બની શકતું નથી. પર્યાય અંતર્મુખ થઈને જ્યારે શુદ્ધસ્વભાવનું આરાધન-સેવન-ધ્યાન કરે ત્યારે જ શુદ્ધઅનુભવ થાય છે.
આ શુદ્ધ અનુભવ એટલે કે નિર્વિકલ્પ અનુભવ શું ચીજ છે ને કેવી એ અંતરદશા છે! એ જિજ્ઞાસુએ લક્ષગત કરવા જેવું છે. અહીં, નિર્વિકલ્પ અનુભવનું પૂરું કથન કરવાની વાણીમાં તાકાત નથી; જ્ઞાનમાં એને જાણવાની તાકાત છે, અંદર વેદનમાં આવે છે, પણ વાણીમાં એ પૂરું આવતું નથી, જ્ઞાનીની વાણીમાં એના માત્ર ઇશારા આવે છે. અરે, જે વિકલ્પને પણ ગમ્ય થતો નથી એવો નિર્વિકલ્પ અનુભવ વાણીથી કઈ રીતે ગમ્ય થાય? એ તો સ્વાનુભવગમ્ય છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk