________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩) : અધ્યાત્મ-સંદેશ ચર્ચા કરી છે! અહા, ધન્ય છે તે સાધર્મીઓને કે જેઓ આવી સ્વાનુભવની ચર્ચા કરે છે. સ્વ-પરનું યથાર્થ ભેદજ્ઞાન કહો, તત્ત્વાર્થશ્રદ્ધાન કહો, ભૂતાર્થનો આશ્રય કહો, શુદ્ધનય કહો કે શુદ્ધાત્મશ્રદ્ધાન કહો, તે નિશ્ચય સમ્યકત્વ છે. આવી દશા પ્રગટયા વગરનો જીવ, ભલે જૈનધર્મના જ દેવ-ગુરુ-શાસ્ત્રને માનતો હોય ને અન્ય કુવાદિને માનતો ન હોય તોપણ, તેને સમ્યકત્વી કહેતા નથી, ધર્મી કહેતા નથી, માટે વપરના યથાર્થ ભેદજ્ઞાનપૂર્વક તત્ત્વાર્થશ્રદ્ધાન કરીને સ્વાનુભવસહિત શુદ્ધાત્મશ્રદ્ધાન કરવું, તે જ સમ્યકત્વ છે, તે જ મોક્ષમાર્ગનું પહેલું રત્ન છે, ને તે જ પહેલો ધર્મ છે. પ્રસન્ન થઈને આત્માની પ્રીતિપૂર્વક આવા સમ્યકત્વાદિની વાત ઉત્સાહથી સાંભળે તે પણ મહાન ભાગ્યશાળી છે, તેમાં ઊંચી જાતના પુણ્ય બંધાય છે, અને આ વાત સમજીને અંતરમાં પરિણમાવે તે તો અપૂર્વ કલ્યાણને પામે છે ને નિયમથી અલ્પકાળમાં મોક્ષ પામે છે. આવા અધ્યાત્મના રસીલા જીવો હંમેશા વિરલા જ હોય છે.
સમ્યગ્દષ્ટિના સ્વરૂપની ઓળખાણ પણ જગતને દુર્લભ છે. સમ્યગ્દષ્ટિએ શુદ્ધાત્માને પ્રતીતમાં લઈને પોતાનું પ્રયોજન સાધ્યું છે, મતિ-શ્રુતજ્ઞાનને આત્મજ્ઞાન દ્વારા સમ્યક કર્યા છે, એટલે તે જે કાંઈ જાણે તે બધું સમ્યજ્ઞાન જ છે. તેનું જ્ઞાન પદાર્થોને વિપરીતપણે સાધતું નથી. પોતાનું મોક્ષમાર્ગ સાધવાનું જે પ્રયોજન છે તે અન્યથા થતું નથી. અહો, આભાસંબંધી જ્ઞાનમાં જ્યાં ભૂલ નથી ત્યાં બહારના જાણપણાની ભૂલ કાંઈ મોક્ષમાર્ગ સાધવામાં નડતી નથી. આત્માને જાણ્યો ત્યાં બધુય જ્ઞાન સમ્યક્ થઈ ગયું. મિથ્યાદષ્ટિને બહારનું કંઈક જાણપણું ભલે હો પરંતુ તેનું તે બાહ્યજ્ઞાન મોક્ષમાર્ગરૂપ નિજપ્રયોજનને સાધતું નથી તેથી તેને મિથ્યાજ્ઞાન જ કહીએ છીએ. આ રીતે જ્ઞાનમાં “સમ્યક” અને “મિથ્યા' એવા બે પ્રકાર નિજ-પ્રયોજનને સાધવા-ન સાધવાની અપેક્ષાએ સમજવા. જાઓ, આ જ્ઞાનનું પ્રયોજન. શુદ્ધાત્મારૂપ પ્રયોજન વગરનું બધુંય જાણપણું થોથાં છે, મોક્ષમાર્ગમાં તેની કાંઈ ગણતરી નથી.
વળી એમ કહ્યું કે, સમ્યકપણાની અપેક્ષાએ કેવળજ્ઞાન અને મતિ શ્રુતજ્ઞાનની જાત એક છે. મતિશ્રુતજ્ઞાનને કેવળજ્ઞાનનો અંશ કહ્યો છે. સમ્યગ્દષ્ટિને તે જ્ઞાન વધતાં વધતાં કેવળજ્ઞાન થાય છે. મિથ્યાજ્ઞાન પલટીને યથાર્થ તત્ત્વશ્રદ્ધાન સહિત જે સમ્યજ્ઞાન થયું તેનો અચિંત્ય મહિમા છે, તે જ્ઞાન મોક્ષને સાધે છે.
હવે સમ્યગ્દષ્ટિને આવા મતિ-શ્રુતજ્ઞાન જ્યારે સ્વાનુભવમાં પ્રવર્તે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk