________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
· કેવળજ્ઞાનનો કટકો ’
આત્મજ્ઞાનનો અચિંત્ય મહિમા
แ
卐
જાણવામાં પદાર્થોને વિપરીતરૂપે સાધતું નથી, માટે તે સમ્યગ્નાન કેવળજ્ઞાનનો અંશ છે. જેમ થોડુંક મેઘપટલ (વાદળ) વિલય થતાં જે કાંઈ પ્રકાશ પ્રગટે છે તે સર્વપ્રકાશનો અંશ છે. જે જ્ઞાન મતિશ્રુતરૂપ પ્રવર્તે છે તે જ જ્ઞાન વધતું-વધતું કેવળ-જ્ઞાનરૂપ થાય છે. તેથી સમ્યજ્ઞાનની અપેક્ષાએ તો જાતિ એક છે.
29
(પૃ. ૩૪૪) અહા, જુઓ આ સમ્યગ્નાનની કેવળજ્ઞાન સાથે સંધિ! મતિશ્રુતજ્ઞાનને કેવળજ્ઞાનનો અંશ કોણ કહે ?-કે જેણે પૂર્ણ જ્ઞાનસ્વભાવને પ્રતીતમાં લીધો હોય ને તે સ્વભાવના આધારે સમ્યઅંશ પ્રગટ કર્યો હોય તે જ પૂર્ણતા સાથેની સંધિથી (પૂર્ણતાના લક્ષથી) કહી શકે કે મારું આ જ્ઞાન છે તે કેવળજ્ઞાનનો અંશ છે, કેવળજ્ઞાનની જ જાત છે. પણ રાગમાં જ જે લીન વર્તતો હોય તેનું જ્ઞાન તો રાગનું થઈ ગયું છે, તેને તો રાગથી જુદા જ્ઞાનસ્વભાવની જ ખબર નથી, ત્યાં ‘આ જ્ઞાન આ સ્વભાવનો અંશ છે' એમ તે કઈ રીતે જાણે ? જ્ઞાનને જ પરથી ને રાગથી જુદું નથી જાણતો ત્યાં એને સ્વભાવનો અંશ કહેવાનું તો તેને કયાં રહ્યું ? સ્વભાવ સાથે જે એકતા કરે તે જ પોતાના જ્ઞાનને ‘આ સ્વભાવનો અંશ છે' એમ જાણી શકે. રાગ સાથે એકતાવાળો એ વાત જાણી શકતો નથી.
અહા, આ તો અલૌકિક વાત છે! મતિશ્રુતજ્ઞાનને સ્વભાવનો
અંશ કહેવો અથવા તો કેવળજ્ઞાનનો અંશ કહેવો એ વાત અજ્ઞાનીને સમજાતી નથી, કેમ કે તેને તો રાગ અને જ્ઞાન એકમેક ભાસે છે. જ્ઞાની તો નિઃશંક જાણે છે કે જેટલા રાગાદિ અંશો છે તે બધાય મારાથી પર ભાવો છે, ને જેટલા જ્ઞાનાદિ અંશો છે તે બધાય મારા સ્વભાવો છે, તે મારા સ્વભાવના જ અંશો છે, ને તે અંશો વધી વધીને કેવળજ્ઞાન થવાનું છે.
Please inform us of any errors on rajesh.shah@fofalise.co.uk