________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
રહસ્યપૂર્ણ ચિઠ્ઠી : ૨૧
શ્રદ્ધાન જ્યાં નથી ત્યાં મિથ્યાજ્ઞાન છે. એટલે બહારનું જાણપણું ઓછું હોય તો એનો જ્ઞાનીને ખેદ નથી, ને બહારનું જાણપણું વિશેષ હોય તો એનો જ્ઞાનીને મહિમા નથી. મહિમાવંત તો આત્મા છે ને એ જેણે જાણી લીધો તે જ્ઞાનનો મહિમા છે. અહો, જગતથી જુદા મારા આત્માને મેં જાણી લીધો છે તો મારા જ્ઞાનનું પ્રયોજન મેં સાધી લીધું છે, એમ નિજાત્મજ્ઞાનથી જ્ઞાની સંતુષ્ટ છે-તૃપ્ત છે.
અહા, આત્મજ્ઞાનનો મહિમા અચિંત્ય છે. એ જ્ઞાનનો મહિમા ભૂલીને બહારના જાણપણાના મહિમામાં જીવો અટકી રહ્યા છે. સંસારના કોઈ નિષ્પ્રયોજન પદાર્થને જાણવામાં ભૂલ થઈ તો ભલે થઈ, પણ, જ્ઞાની કહે છે કે અમારા આત્માને જાણવામાં અમારી ભૂલ થતી નથી... અમારા આતમરામને અમે ભૂલતા નથી. એ જ્ઞાનની મસ્તી અને નિઃશંકતા કોઈ અદ્દભુત છે! અનંત ગુણોથી પરિપૂર્ણ સ્વભાવની પ્રતીતનું જોર એ જ્ઞાનની સાથે વર્તી રહ્યું છે. તેથી આવું સમ્યજ્ઞાન તે કેવળજ્ઞાનનો કટકો છે–એમ હવે કહે છે.
આ વાત એવી છે કે જો સમજે તો અંદર સ્વાનુભૂતિનો રંગ ચડી જાય, ને રાગનો રંગ ઊતરી જાય. આત્માની શુદ્ધઅનુભૂતિ રાગના રંગ વગરની છે; જેને આવી અનુભૂતિનો રંગ છે તે રાગથી રંગાઈ જતો નથી. હે જીવ! એકવાર આત્મામાં રાગનો રંગ ઊતારી સ્વાનુભૂતિનો રંગ
ચડાવ.
*
સ્વાનુભૂતિપૂર્વક થતું સમ્યગ્દર્શન તે
મોક્ષનું દ્વાર છે; તેના વડે જ મોક્ષનો માર્ગ
ઊઘડે છે. એનો ઉદ્યમ એ જ દરેક મુમુક્ષુનું
પહેલું કામ છે. અને દરેક મુમુક્ષુથી આ થઈ
શકે તેવું છે.
卐
Please inform us of any errors on rajesh.shah@fofalise.co.uk