________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમ્યગ્દષ્ટિનું બધુંય જ્ઞાન સમ્યક છે. તે મોક્ષમાર્ગરૂપ નિજપ્રયોજનને સાધે છે
વળી એવા સમ્યકત્વ થતાંની સાથે, જે જ્ઞાન (પૂર્વે) પાંચ ઇન્દ્રિય તથા છઠ્ઠા મનદ્વારા ક્ષયોપશમરૂપ મિથ્યાત્વદશામાં કુમતિ-કુશ્વતરૂપ થઈ રહ્યું હતું તે જ જ્ઞાન હવે મતિ-શ્રુતરૂપ સમ્યજ્ઞાન થયું સમ્યગ્દષ્ટિ જે કાંઈ જાણે તે સર્વ જાણવું સમ્યજ્ઞાનરૂપ છે. એ (સમ્યગ્દષ્ટિ) જો કદાચિત ઘટપટાદિ પદાર્થોને અયથાર્થ પણ જાણે તો તે આવરણજનિત ઉદયનો અજ્ઞાનભાવ છે; અને ક્ષયોપશમરૂપ પ્રગટ જ્ઞાન છે તે તો સર્વ સમ્યજ્ઞાન જ છે, કેમ કે જાણવામાં પદાર્થોને વિપરીતરૂપે સાધતું નથી.”
(મો. મા. પ્ર. પાનું-૩૪૩-૩૪૪ ) જુઓ, સમકિતીનું સમ્યજ્ઞાન. જ્યાં શુદ્ધાત્મશ્રદ્ધાનરૂપ નિશ્ચયસમ્યકત્વ થયું ત્યાં બધું જ્ઞાન પણ સ્વ-પરની ભિન્નતાને યથાર્થ સાધતું થયું સમ્યકરૂપ પરિણમ્યું, એટલે જ્ઞાનીનું બધુંય જ્ઞાન સમ્યજ્ઞાન થયું. કદાચિત્ ક્ષયોપશમદોષથી બહારના અપ્રયોજનભૂત કોઈ પદાર્થો (ઘટ-પટ, દોરી વગેરે) અયથાર્થ જણાઈ જાય તો પણ તેથી કરીને મોક્ષમાર્ગરૂપ પ્રયોજન સાધવામાં કાંઈ વિપરીતતા થતી નથી; કેમ કે અંદરની પ્રયોજનરૂપ વસ્તુ જાણવામાં કાંઈ વિપરીતતા તેને થતી નથી; અંદરમાં રાગને જ્ઞાનરૂપ જાણે કે શુભરાગને મોક્ષમાર્ગરૂપ જાણે-એવી પ્રયોજનભૂત તત્ત્વોમાં વિપરીતતા જ્ઞાનીને થતી નથી, પ્રયોજનભૂત તત્ત્વો સ્વભાવ-વિભાવની ભિન્નતા, સ્વ-પરની ભિન્નતા વગેરેને તો તેનું જ્ઞાન યથાર્થ જ સાધે છે, તેથી તેનું બધુંય જ્ઞાન સમ્યજ્ઞાન જ છે. અને અજ્ઞાની કદાચ દોરીને દોરી, સર્પને સર્પ, દાક્તરપણું, વકીલાત, જ્યોતિષ વગેરે અપ્રયોજનરૂપ તત્ત્વોને જાણે તોપણ સ્વપ્રયોજનને તેનું જ્ઞાન સાધતું નહિ હોવાથી તેનું બધુંય જાણપણું મિથ્યાજ્ઞાન છે, સ્વ-પરની ભિન્નતા કે કારણ-કાર્ય
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk