________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
નિશ્ચયસમ્યકત્વથી જ મોક્ષમાર્ગની શરૂઆત છે નિશ્ચયસમ્યકત્વ વગર જીવ સમ્યગ્દષ્ટિ કહેવાય નહિ
વળી જેને સ્વ-પરનું યથાર્થ શ્રદ્ધાન નથી, પણ જૈનમતમાં કહેલા દેવ-ગુરુ ને ધર્મ એ ત્રણને માને છે તથા અન્યમતમાં કહેલાં દેવાદિ વા તત્ત્વાદિને માને નહિ, તો એવા કેવળ વ્યવહાર સમ્યકત્વ વડે તે સમ્યકત્વી નામને પામે નહિ. માટે સ્વ-પર ભેદ-વિજ્ઞાનપૂર્વક જે તત્ત્વાર્થશ્રદ્ધાન હોય તે સમ્યકત્વ જાણવું.” ( પાનું ૩૪૩).
વાહ જાઓ, નિશ્ચય-વ્યવહારની કેવી સ્પષ્ટ વાત છે! યથાર્થ શ્રદ્ધાનથી નિશ્ચયસમ્યકત્વ થાય ત્યારે જ જીવ સમ્યકત્વી થાય છે. નિશ્ચય સમ્યકત્વ જ મોક્ષમાર્ગરૂપ છે, વ્યવહાર સમ્યકત્વ તો શુભ-આસ્રવરૂપ છે, એ કાંઈ મોક્ષમાર્ગસ્વરૂપ નથી. સિદ્ધાંતમાં “સખ્યત્ન જ્ઞાનવારિત્રાnિ મોક્ષમા:' એમ કહ્યું છે તેમાં નિશ્ચય સમ્યગ્દર્શનની વાત છે. તવીર્થશ્રદ્ધાનં સભ્ય નમ્'—એ નિશ્ચય સમ્યગ્દર્શન છે. ભૂતાર્થને આશ્રિત સમ્યગ્દર્શન કર્યું (સમયસાર ગા. ૧૧) તેમાં અને આ સમ્યગ્દર્શનમાં કાંઈ ફેર નથી. આવું સમ્યગ્દર્શન ચોથા ગુણસ્થાને પ્રગટે છે તે ઠેઠ સિદ્ધદશામાં પણ રહે છે. શુભરાગરૂપ વ્યવહારસમ્યગ્દર્શન કાંઈ સિદ્ધદશામાં હોતું નથી. આ રીતે નિશ્ચય સમ્યગ્દર્શન તે જ મોક્ષમાર્ગરૂપ છે. ચોથા ગુણસ્થાનથી જ બધાય જીવોને આવું નિશ્ચય સમ્યકત્વ હોય છે. આવા નિશ્ચયસમ્યકત્વ વગર ધર્મની કે મોક્ષમાર્ગની શરૂઆત પણ હોઈ શકતી નથી.
આત્મવસ્તુનો જેવો સ્વભાવ છે તે જ પ્રમાણે શ્રદ્ધામાં લેવો તે સમ્યકત્વ છે, ને તે વસ્તુનો ભાવ છે એટલે કે નિશ્ચય છે. આવા નિશ્ચયસમ્યકત્વની ભૂમિકામાં ધર્મીને વીતરાગી દેવ-શાસ્ત્ર-ગુરુની
ઓળખાણ, ભક્તિ, તેમના પ્રત્યે ઉત્સાહ, પ્રમોદ, બહુમાન અને વિનય આવે છે. પણ આથી કરીને કોઈ જીવ એવા એકલા વ્યવહારમાં જ સંતુષ્ટ થઈ જાય ને નિશ્ચયસમ્યકત્વને ભૂલી જાય તો એને સમ્યગ્દષ્ટિ કહેતા નથી. જો વ્યવહારની સાથે ને સાથે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk