________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ધન્ય છે તેમને..... જેઓ સ્વાનુભવની ચર્ચા કરે છે ચૈતન્યસ્વભાવના શ્રવણમાં મુમુક્ષુનો ઉલ્લાસ
卐
“બીજું, તમારો એક પત્ર ભાઈશ્રી રામસિંઘજી ભુવાનીદાસજીને આવ્યો તો, તેના સમાચાર જહાનાબાદથી અન્ય સ્વધર્મીઓએ લખ્યા હતા. ભાઈશ્રી, આવા પ્રશ્ન તમારા જેવા જ લખે. આ વર્તમાનકાળમાં અધ્યાત્મરસના રસિક જીવો બહુ જ થોડા છે. ધન્ય છે તેમને, જેઓ સ્વાનુભવની વાર્તા પણ કરે છે.”
જીઓ, આવી અધ્યાત્મરસની ચર્ચા કરનારા જીવો તે વખતે પણ વિરલ હતા. સ્વાનુભવની ને સમ્યગ્દર્શનની ચર્ચા કરનારા જીવો ૨૦૦ વર્ષ પહેલાં પણ વિરલા હતા, ને ત્રણે કાળે અધ્યાત્મના રસિક જીવો જગતમાં થોડા જ હોય છે. એટલે અધ્યાત્મચર્ચાના પ્રમોદથી પંડિતજી લખે છે કે ભાઈશ્રી, આવા પ્રશ્ન તમારા જેવા જ લખે. અધ્યાત્મરસના રસિક જીવો બહુ જ થોડા છે. જેઓ સ્વાનુભવની આવી ચર્ચા કરે છે તેમને પણ ધન્ય છે! વાહ! જુઓ આ સ્વાનુભવના રસનો મહિમા! જેને વિકારનો ૨સ છૂટીને અધ્યાત્મનો રસ રુચ્યો તે જીવો ભાગ્યશાળી છે; સિદ્દસમાન સવા પ૬ મેરો એવી અંતરષ્ટિ અને એના સ્વાનુભવની ભાવના કરનારા જીવો ખરેખર ધન્ય છે. એ વાતનો આધાર આપતાં પત્રમાં લખે છે કે
तत्प्रति प्रीतिचित्तेन येन वार्तापि हि श्रुता । निश्चितं स भवेद्भव्यो भाविनिर्वाणभाजनम् ।। २३ ।।
અધ્યાત્મરસની પ્રીતિ કહો કે ચૈતન્યસ્વભાવની પ્રીતિ હો, તેનો મહિમા અને ફળ બતાવતાં વનવાસી દિગંબર સંત શ્રી પદ્મનંદીસ્વામી પદ્મનંદી પચ્ચીસીમાં કહે છે કે આ ચૈતન્યસ્વરૂપ આત્મા પ્રત્યે પ્રીતિચિત્તપૂર્વક-ઉત્સાહથી તેની વાર્તા પણ જેણે સાંભળી છે તે ભવ્ય જીવ ચોક્કસ ભાવિનિર્વાણનું ભાજન થાય છે, એટલે કે અલ્પકાળમાં તો તે અવશ્ય મોક્ષ પામે છે. ચૈતન્યના સાક્ષાત્ સ્વાનુભવની તો વાત જ શી ! પણ અંતરમાં તેના તરફનો પ્રેમ જાગ્યો
Please inform us of any errors on rajesh.shah@fofalise.co.uk