________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્તની ચિઠ્ઠી : ૨૦૯ સમ્યકત્વને તે બાધા કરતા નથી, અથવા શુભ પરિણામ હો તો સમ્યકત્વને તે કાંઈ લાભકર્તા નથી, શુભ-અશુભનું કર્તુત્વ સમ્યગ્દર્શનમાં નથી. બંને ધારા જુદી જ કામ કરે છે. એક જ સમયની પર્યાયમાં એકસાથે બંને વર્તે છે છતાં બંનેની કાર્યધારા તદ્દન જુદી છે. પરિણામની આવી સ્વતંત્રતા છે.
કોઈ મિથ્યાદષ્ટિ શુકલલેશ્યા હોય છતાં તેનાથી તેને સમ્યકત્વનો કાંઈ લાભ થતો નથી. કોઈ સમકિતીને કૃષ્ણલેશ્યા હોય, છતાં તેનાથી તેના સમ્યકત્વને કાંઈ નુકશાન થઈ જતું નથી. એક જ વસ્તુમાં લશ્યાના અને સમ્યકત્વના એ બંને પરિણામ સ્વતંત્ર છે. અહીં જ્ઞાનને ચારિત્ર બંનેની સ્વતંત્રતા અને અસહાયપણું બતાવીને તેમને નિમિત્ત-ઉપાદાન તરીકે વર્ણવ્યા છે. એક જ સમયની પર્યાયમાં ઉપાદાન ને નિમિત્ત બને વર્તે છે?-કેટલી સૂક્ષ્મ વાત! ઉપાદાન-નિમિત્ત બંને એક જાતના હોય એટલે કે બંને અશુદ્ધ હોય કે બંને શુદ્ધ હોય-એમ અહીં નથી બતાવવું, અહીં તો એક પર્યાયમાં જ્ઞાન-ચારિત્રના કેવા બે પ્રકાર એક સાથે છે, અને છતાં બંને કેવા સ્વતંત્ર છે, તે બતાવવું છે. એકેન્દ્રિયાદિને જાણરૂપ જ્ઞાન કદી હોતું નથી, અજાણ રૂપ જ જ્ઞાન હોય છે. એટલે શુદ્ધનિમિત્તનો ભંગ તેને લાગુ પડે નહિ, બાકીના ત્રણ બોલ લાગુ પડે. ચારે ભંગ તો જેને તત્ત્વવિચાર જાગ્યો હોય એવા પંચેન્દ્રિયને જ લાગુ પડે.
પ્રશ્ન- એકેન્દ્રિયમાં વેશ્યા તો અશુભ જ કહી છે, તો તેને શુભ પરિણામ કેમ હોય?
ઉત્તર- અશુભ લેગ્યામાં પણ અનેક પ્રકારની તારતમ્યતા હોય છે; લેશ્યા અશુભ હોય છતાં તેની સાથે શુભ પરિણામ પણ હોય છે; કોઈને લેશ્યા શુભ હોય છતાં તેની સાથે પરિણામ અશુભ હોય. જેમકે-નરકમાં અશુભ લેશ્યા જ છે છતાં ત્યાં શુભ પરિણામ પણ કોઈ જીવો કરે છે; દેવમાં શુભ લેશ્યા જ છે છતાં ત્યાં અશુભપરિણામ પણ કોઈ જીવો કરે છે. જીવોના પરિણામમાં અનેક પ્રકારની વિચિત્રતા છે.
મોક્ષમાર્ગની સન્મુખ થયેલા જીવને જ્ઞાન-ચારિત્રમાં ગર્ભિતશુદ્ધતા કહેવાય, પણ સમ્યક શુદ્ધતા જેવી શુદ્ધતા ગ્રંથિભેદ વગર હોય નહિ. આવી જ્ઞાનની ગર્ભિતશુદ્ધતા કાંઈ બધા પંચેન્દ્રિય જીવોને હોતી નથી, એકેન્દ્રિયાદિ અસંજ્ઞી સુધી તો કોઈને હોતી નથી. આ જ્ઞાનની ગર્ભિતશુદ્ધિથી અકામનિર્જરા છે; તે વખતે કદાચ સંકલેશભાવ હોય તોપણ અકામનિર્જરા થયા જ કરે છે. –છતાં જ્ઞાનની આટલી વિશુદ્ધિ થવાથી કાંઈ ધર્મ કે મોક્ષમાર્ગ થઈ જતો નથી; સમ્યજ્ઞાન થઈ જતું નથી; માત્ર જ્ઞાનપરિણામમાં એટલી ઊર્ધ્વતા
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk