________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
નિગોદના દષ્ટાંતે ઉપાદાનની સ્વતંત્રતા; સ્વતંત્રતા જાણીને સ્વાશ્રયે સ્વકાર્યને સાધ.
હવે નિગોદના જીવને પણ મંદકષાય વડે કંઈક નિર્જરા થાય છે. –તે બતાવે છે: “મિથ્યાત્વ અવસ્થામાં જે સમયે જાણરૂપ જ્ઞાન છે અને વિશુદ્ધતારૂપ ચારિત્ર છે તે સમયે નિર્જરા છે. જે સમયે અજાણરૂપ જ્ઞાન છે અને સંકલેશરૂપ ચારિત્ર છે તે સમયે બંધ છે. તેમાં વિશેષ એટલે કે અલ્પ નિર્જરા ને ઘણો બંધ થાય છે; તેથી એ અલ્પ નિર્જરાની ઉપેક્ષા કરીને મિથ્યાત્વ અવસ્થા વિષે કેવળ બંધ કહ્યો. –જેમકે કોઈ પુરુષને નફો થોડો અને નુકસાની ઘણી, તો તે પુરુષ ટોટાવાળો જ કહેવાય. પરંતુ બંધ અને નિર્જરા વિના જીવ કોઈ અવસ્થામાં હોતો નથી. દષ્ટાંત આ પ્રમાણેજો વિશુદ્ધતા વડે નિર્જરા ન થતી હોય તો એકેન્દ્રિય જીવ નિગોદઅવસ્થામાંથી વ્યવહારરાશિમાં કોના બળથી આવત? ત્યાં જ્ઞાન ગુણ તો અજાણરૂપ, ઘેલછારૂપ, અબુદ્ધરૂપ છે, તેથી જ્ઞાનગુણનું તો બળ નથી; પણ | વિશુદ્ધરૂપ ચારિત્રના બળથી જીવ વ્યવહારરાશિમાં ચઢે છે. જીવદ્રવ્યમાં કષાયની મંદતા થાય છે તેથી નિર્જરા થાય છે. એ મંદતાના પ્રમાણમાં શુદ્ધતા જાણવી.”
અહીં નિગોદનો જીવ ત્યાંથી નીકળીને મનુષ્ય થાય છે તે કયા પરિણામના બળથી થાય છે?–તે બતાવીને તેના દ્રષ્ટાંતે જીવના પરિણામની સ્વતંત્રતા બતાવી છે. નિગોદના જીવને જ્ઞાનનું તો વિશેષ બળ નથી, ત્યાં કાંઈ તત્ત્વવિચાર નથી, છતાં ચારિત્રપરિણામમાં તે પ્રકારની વિશુદ્ધતાના બળથી તે જીવ ઊંચે ચડે છે. કષાયની મંદતાના બળે તે પ્રકારની નિર્જરા કરીને તે અનાદિ નિગોદનો જીવ વ્યવહારરાશિમાં આવે છે. નિત્ય-નિગોદમાંથી નીકળીને બીજી પર્યાય ધારણ કરે ત્યારે તે વ્યવહારરાશિમાં આવ્યો કહેવાય. સામાન્યપણે સંસારમાં કોઈ જીવ બંધ અને નિર્જરા વગરનો
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk