________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્ત સંબંધી ચૌભંગી
તેમાં દરેક બોલની સ્વતંત્રતા
“ હુવે તેમાં ચૌભંગીનો વિચારઃ અહીં જ્ઞાનગુણ નિમિત્ત ને ચારિત્રગુણ ઉપાદાન એ વિવક્ષા લેવી. તેના ચાર પ્રકાર આ પ્રમાણે
(૧) અશુદ્ધ નિમિત્ત, (૨) અશુદ્ધ નિમિત્ત, (૩) શુદ્ધ નિમિત્ત, (૪) શુદ્ધ નિમિત્ત,
અશુદ્ધ ઉપાદાન.
શુદ્ધ ઉપાદાન. અશુદ્ધ ઉપાદાન.
શુદ્ધ ઉપાદાન.
અહીં સૂક્ષ્મદષ્ટિપૂર્વક દ્રવ્યની એક સમયની અવસ્થા લેવી; સમુચ્ચયરૂપ મિથ્યાત્વ-સમ્યકત્વની વાત ન લેવી. હવે તે ચાર પ્રકારનું વિવેચન કરે છે. કોઈ સમયે જીવની અવસ્થા આ પ્રકારની હોય છે કે
(૧) અજાણરૂપ જ્ઞાન અને સંકલેશરૂપ ચારિત્ર. (૨) કોઈ સમયે અજાણરૂપ જ્ઞાન અને વિશુદ્ધચારિત્ર. (૩) કોઈ સમયે જાણરૂપ જ્ઞાન અને સંકલેશરૂપ ચારિત્ર. (૪) કોઈ સમયે જાણરૂપ જ્ઞાન અને વિશુદ્ધચારિત્ર. (૧) જે સમયે જ્ઞાનની અજ્ઞાનરૂપ ગતિ અને ચારિત્રની - સંકલેશરૂપ ગતિ, તે સમયે નિમિત્ત અને ઉપાદાન બંને
અશુદ્ધ. કોઈ સમયે અજ્ઞાનરૂપ જ્ઞાન અને વિશુદ્ધરૂપ ચારિત્ર, તે
સમયે અશુદ્ધ નિમિત્ત અને શુદ્ધ ઉપાદાન. (૩) કોઈ સમયે જાણરૂપ જ્ઞાન અને સંકલેશરૂપ ચારિત્ર, તે
સમયે શુદ્ધ નિમિત્ત અને અશુદ્ધ ઉપાદાન. (૪) કોઈ સમયે જાણરૂપ જ્ઞાન અને વિશુદ્ધ ચારિત્ર, તે સમયે
નિમિત્ત અને ઉપાદાન બંને શુદ્ધ. એ પ્રકારે જીવની અન્ય અન્ય દશા સદાકાળ અનાદિથી છે.”
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk