________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્તની સ્વાધીનતાનું
વિસ્તૃત વિવેચન
卐
66 શીન ચારિત્રને આધીન નથી, ને ચારિત્ર જ્ઞાનને આધીન નથી. બંને અસહાયરૂપ છે. આ તો મર્યાદા બાંધી. ”
"
જુઓ, અહીં વિષય શું છે? એક જ વસ્તુમાં ઉપાદાન અને નિમિત્ત બંને કઈ રીતે લાગુ પડે છે, તે વાત જ્ઞાન અને ચારિત્રનું દૃષ્ટાંત આપીને અહીં સમજાવી છે. પણ તે પહેલાં એ બંને ગુણની સ્વતંત્રતાની મર્યાદા બાંધે છે. સ્વતંત્રતા સ્થાપીને પછી બંનેમાં ઉપાદાન-નિમિત્તપણું કયા પ્રકારે છે તે કહેશે. આ પ્રમાણે સર્વત્ર ઉપાદાન-નિમિત્ત એ બંનેની સ્વતંત્રતા સમજી લેવી. બંનેની સ્વતંત્રતા સ્વીકાર્યા વિના ઉપાદાનનિમિત્તનું સાચું જ્ઞાન થાય નહિ. આવી વસ્તુની વ્યવસ્થા છે, વસ્તુની સ્થિતિ છે, વસ્તુની મર્યાદા છે.
જ્ઞાન ચારિત્રને આધીન નથી, ચારિત્ર જ્ઞાનને આધીન નથી; સર્વ ગુણ અસહાય છે. જીઓ, આ વસ્તુસ્વરૂપની મર્યાદા ! એક દ્રવ્યમાં ત્રિકાળ ભેગા રહેનારા જે ગુણો તેઓ પણ એકબીજાની સહાય વગરના સ્વાધીન છે, તો પછી ત્રણેકાળ જુદા રહેનારા પદાર્થો એકબીજાને સહાય કરે-એ વાત કયાં રહી ?–એટલે એકદ્રવ્ય બીજા દ્રવ્યને કાંઈ કરે એ વાત વસ્તુસ્વરૂપની મર્યાદાથી બહાર છે. સ્વાધીનપણે વસ્તુ પરિણમે છે એ જ વસ્તુસ્વરૂપની વ્યવસ્થા છે, અને જેણે આવું વસ્તુસ્વરૂપ નક્કી કર્યું તેની જ મતિ વ્યવસ્થિત છે. બધાય તીર્થંકર ભગવંતોએ અનુભવેલો ને દર્શાવેલો મોક્ષમાર્ગ કેવો છે તેનો દઢ નિર્ણય કરીને, અને પોતે તેવા મોક્ષમાર્ગરૂપ પરિણમીને પ્રવચનસારમાં આચાર્યદેવ કહે છે કે મારી મિત વ્યવસ્થિત થઈ છે. મોક્ષમાર્ગ અવધારિત કર્યો છે.... કૃત્ય કરાય છે. માર્ગના નિર્ણયમાં જેની ભૂલ છે, વસ્તુસ્વરૂપમાં જેની ભૂલ છે તેની તિ વ્યવસ્થિત નથી, પણ ડામાડોળ છે, એટલે કે મિથ્યા છે.
અહીં એક જ દ્રવ્યને આશ્રિત ઉપાદાન-નિમિત્ત બતાવવા જ્ઞાન ને ચારિત્ર એ બે ગુણ દષ્ટાંત તરીકે લીધા છે. તે બંનેને અસહાય કહ્યા.
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk