________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૮ : અધ્યાત્મ-સંદેશ
બંનેની સત્તા પણ જુદી છે; દ્રવ્ય અપેક્ષાએ એક સત્તા છે પણ ગુણઅપેક્ષાએ ભિન્ન ભિન્ન સત્તા છે. આમ બંનેમાં ભિન્નતા છે. જીઓ, ૫૨થી તો અત્યંત ભિન્નતા છે ને પોતામાં પણ એક ગુણને બીજા ગુણથી ભિન્નતા છે; પ્રદેશભેદ નથી પણ ગુણભેદ છે. હવે જ્ઞાન ને ચારિત્રની ભિન્નતાના પ્રકારોનું વિવેચન કરે છે–
“જ્ઞાનગુણની તો
જ્ઞાન અજ્ઞાનરૂપ ગતિ, સ્વપરપ્રકાશક શક્તિ.
જ્ઞાન (સમ્યક્ )રૂપ તથા મિથ્યાત્વરૂપ જાતિ,
દ્રવ્યપ્રમાણ સત્તા.
પરંતુ એક વિશેષતા એટલી કે જ્ઞાનરૂપ જાતિનો નાશ થતો નથી, જ્યારે મિથ્યાત્વરૂપ જાતિનો નાશ સમ્યગ્દર્શનની ઉત્પત્તિ થતાં થાય છે. આ તો જ્ઞાનગુણનો નિર્ણય થયો.
હવે ચારિત્રગુણનું વિવેચન કહે છેસંક્લેશ વિશુદ્ધરૂપ ગતિ, સ્થિરતા અસ્થિરતા શક્તિ, મંદ તીવ્રરૂપ જાતિ,
દ્રવ્યપ્રમાણ સત્તા.
પરંતુ તેમાં એક વિશેષતા કે મંદતાની સ્થિતિ ચૌદમા ગુણસ્થાનપર્યંત હોય છે અને તીવ્રતાની સ્થિતિ પાંચમા ગુણસ્થાન સુધી હોય છે. આ તો બંનેના ગુણભેદ ન્યારા ન્યારા કહ્યા.
י
(૧) ગતિ એટલે પરિણતિ, પર્યાય; જ્ઞાનની ગતિ એટલે જ્ઞાનનું પરિણમન બે પ્રકારે-એક જ્ઞાનરૂપ, બીજું અજ્ઞાનરૂપ, જ્ઞાનરૂપે કે અજ્ઞાનરૂપે જ્ઞાનગુણ પોતાના કારણે જ પરિણમે છે. અને ચારિત્રગુણની ગતિ સંકલેશરૂપ અથવા વિશુદ્ધરૂપ છે. અહીં સંકલેશ એટલે અશુભ, તથા વિશુદ્ધ એટલે શુભ તથા શુદ્ધ બંને (જે લાગુ પડે તે) સમજવા. આ રીતે સંકલેશ અથવા વિશુદ્ધ પરિણામરૂપે પરિણમવાની શક્તિ ચારિત્રગુણની છે.
જીઓ, જ્ઞાનના પરિણામ જ્ઞાનરૂપ કે અજ્ઞાનરૂપ, અને ચારિત્રના પરિણામ સંકલેશરૂપ કે વિશુદ્ધરૂપ, -આમાં જગતના બધા જીવોના પરિણામ સમાઈ ગયા. જગતના અનંતાનંત જીવોના જ્ઞાન-ચારિત્ર સંબંધી જેટલા પરિણામો છે તે બધાય આ ચાર બોલમાં સમાઈ ગયા.
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk