________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
એક જ દ્રવ્યમાં ઉપાદાન ને નિમિત્ત; તે સંબંધમાં ચારિત્ર ને જ્ઞાનનું દૃષ્ટાંત
ક
“જીવદ્રવ્ય, તેના અનંતગુણ, સર્વગુણ અસહાય, સદાકાળ સ્વાધીન; તેમાં બે ગુણને પ્રધાન સ્થાપ્યા; તેના પર ચૌભંગીનો વિચાર. એક તો જીવનો જ્ઞાનગુણ, અને બીજો જીવનો ચારિત્રગુણ. એ બંને ગુણ શુદ્ધરૂપ જાણવા, અશુદ્ધરૂપ પણ જાણવા; યથાયોગ્ય સ્થાનક માનવા. . એ બંનેની ગતિ ન્યારી ન્યારી, શક્તિ ન્યારી ન્યારી, જાતિ ન્યારી ન્યારી, સત્તા જારી ન્યારી.”
જગતમાં અનંત જીવો છે, દરેક જીવમાં અનંત ગુણો છે; તે સર્વે ગુણો અસહાય છે, તેમના પરિણમનમાં પરની તો સહાય નથી, તે પોતાના ગુણોમાં પણ પરસ્પર એકબીજાની સહાય નથી. બીજાની સહાય વગર દરેક ગુણ સદાકાળ સ્વાધીનપણે પરિણમી રહ્યો છે, એવી તેની સહજ શક્તિ છે. જીવના અનંતા ગુણોમાંથી, અહીં ચૌભંગી સમજાવવા માટે જ્ઞાન ને ચારિત્ર એ બે ગુણ મુખ્ય લીધા. અને તે બંને ગુણો શુદ્ધ તથા અશુદ્ધ પર્યાયરૂપ જાણવા એ રીતે કૂલ ચાર ભંગ થયા:
(૧) જ્ઞાનની શુદ્ધપર્યાય (૩) ચારિત્રની શુદ્ધપર્યાય
(૨) જ્ઞાનની અશુદ્ધપર્યાય (૪) ચારિત્રની અશુદ્ધપર્યાય.
એમાંથી ચારિત્રને ઉપાદાનરૂપ તથા જ્ઞાનને નિમિત્તરૂપ ગણીને ચૌભંગી કહેશે. પણ તે પહેલાં એ બંને ગુણોમાં ભિન્નપણું ક્યા પ્રકારે છે તે બતાવે છે.
વસ્તુપણે અનંત ગુણો અભેદ હોવા છતાં અહીં તેમાં ગુણભેદકલ્પનાથી ઉપાદાન-નિમિત્તપણું બતાવવું છે. તેથી કહે છે કે જ્ઞાન ને ચારિત્ર એ બંનેની ગતિ જુદી છે એટલે બંનેનું પરિણમન ભિન્ન ભિન્ન પ્રકારનું છે. બંનેની શક્તિ જાદી છે અર્થાત્ બંનેનું કાર્ય જાદુ છે, બંનેની જાતિ જુદી છે ને
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk