________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપસંહાર
卐
જુઓ, આ પં. શ્રી બનારસીદાસજીએ આ વનિકામાં જ્ઞાનીની ચાલ અર્થાત્ જ્ઞાનીની દશા કેવી છે, તે કઈ રીતે મોક્ષમાર્ગ સાધે છે, તે સંબંધી ઘણું કહ્યું; જ્ઞાનીની અધ્યાત્મપદ્ધત્તિનો મહિમા ઘણા પ્રકારે સમજાવીને મોક્ષમાર્ગ સ્પષ્ટ કર્યો. હવે અંતમાં ઉપસંહાર કરતાં કહે છે કે
แ આ વસ્તુઓનું વિવેચન કયાં સુધી લખીએ ? કયાં સુધી કહીએ ?–એ તો વચનાતીત, ઇન્દ્રિયાતીત, જ્ઞાનાતીત (ઇન્દ્રિયજ્ઞાનથી પાર) છે, તેથી આ વિચારો બહુ શું લખીએ? જે જ્ઞાતા હશે તે થોડું લખ્યું પણ ઘણું સમજી જશે. જે અજ્ઞાની હશે તે આ ચિઠ્ઠી સંભાળશે ખરો, પરંતુ સમજશે નહિ. આ વનિકા યથાયોગ્ય સુમતિપ્રમાણ કેવળીવચનઅનુસાર છે. જે જીવ આ સાંભળશે, સમજશે, શ્રદ્ધશે તેને ભાગ્યાનુસાર (એટલે કે તેની યોગ્યતાઅનુસાર) કલ્યાણકારી છે. ”
અહો, સાતાના સામર્થ્યનો મહિમા કોઈ અચિંત્ય છે; અધ્યાત્મપદ્ધત્તિરૂપ જે મોક્ષમાર્ગ, એટલે કે અંતરની શુદ્ઘપરિણિત તે વચનથી કે વિકલ્પથી પકડાય તેમ નથી. સ્વભાવ: અતર્તનોવર: તર્કથી સ્વભાવનો પાર ન પમાય, એ તો સ્વાનુભવગમ્ય છે. તેથી કહે છે કે કેટલુંક લખીએ ? અંત૨માં ઘણો મહિમા ભાસ્યો છે તે બધો શબ્દોમાં આવી શકતો નથી. પણ જે જીવ જ્ઞાતા હશે, પાત્ર હશે તે તો થોડામાં પણ અંતરનું રહસ્ય પકડી લેશે. અને જે અજ્ઞાની છે-વિપરીત રુચિવાળો છે તે તો ગમે તેટલું કહેવા છતાં સમજશે નહિ, અંતરદષ્ટિની આ વાત એના હૃદયમાં ઊતરશે નહિ. આ ચિઠ્ઠીમાં ૫૨માર્થનું રહસ્ય ભર્યું છે તેથી
આ પરમાર્થ વનિકા ' છે. આ ૫રમાર્થ વનિકા કેવળીના વચનઅનુસાર છે; ને યથાયોગ્ય મારી સુમતિથી લખી છે. આ ચિઠ્ઠીમાં કહેલા અધ્યાત્મભાવો જે સમજશે તેનું જરૂર કલ્યાણ થશે.
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk