________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાર્થ વચનિકા : ૧૬૭ કહે છે કે અરે, રાગને ધર્મ માનનારા કાયરો! તમે ચૈતન્યના વીતરાગ માર્ગે નહીં ચડી શકો. ચૈતન્યને સાધવાનો સ્વાધીન-પુરુષાર્થ તમે નહિ પ્રગટાવી શકો. સ્વાધીન ચૈતન્યનો તમારો પુરુષાર્થ ક્યાં ગયો? તમે ધર્મ કરવા નીકળ્યા છો, –તો ચૈતન્યશક્તિની વીરતા તમારામાં પ્રગટાવો; એ વીતરાગી વીરતા વડે જ મોક્ષમાર્ગ સધાશે. વ્યવહારના રાગની રુચિ આડે જીવને અંતરસ્વભાવમાં જવાનો ઉમંગ આવતો નથી. માટે રાગનો રસ છોડી ચૈતન્યસ્વભાવનો ઉત્સાહ કરો, –જેથી સ્વસત્તાના અવલંબન તરફ જ્ઞાન વળે ને મોક્ષમાર્ગને સાધે. અહો, આવા સ્વાનુભવજ્ઞાનથી મોક્ષમાર્ગને સાધનાર જ્ઞાનીના મહિમાની શી વાત!! એની દશાને ઓળખનારા જીવો ન્યાલ થઈ ગયા છે.
આનંદનો માર્ગ પણ આનંદરૂપ છે. મોક્ષ તે પરમ આનંદધામ છે ને તેનો માર્ગ પણ આનંદધામમાં જ છે. રાગ તો આકુળતાનું ધામ છે તે કાંઈ આનંદનું ધામ નથી, તેથી તેમાં મોક્ષમાર્ગ નથી. જેમ મોક્ષ આનંદસ્વરૂપ છે તેમ તેનો માર્ગ પણ આનંદસ્વરૂપ છે, એમાં આકુળતાનું સ્થાન નથી, એમાં રાગનું સ્થાન નથી. રાગ રાગમાં છે પણ મોક્ષમાર્ગમાં નથી. જે ભાવ મોક્ષમાર્ગરૂપ છે તેમાં રાગનો અભાવ છે. રાગ તે આનંદદાતા નથી, પણ દુ:ખદાતા છે; મોક્ષમાર્ગ તો આનંદદાતા છે, તે દુ:ખદાતા નથી.
F
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk