SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધ્યાત્મપદ્ધત્તિરૂપ સ્વાશ્રિત મોક્ષમાર્ગ છે; ઉદયભાવના આશ્રયે મોક્ષમાર્ગ નથી કોઈને પ્રશ્ન થાય કે જ્ઞાનીનેય સાધકદશામાં પરાવલંબી અનેક ઉદયભાવો તો હોય છે, તો તે મોક્ષમાર્ગ કેમ નથી?–તો તેના સમાધાનમાં કહે છે કે " જ્ઞાનીને અવસ્થાના પ્રમાણમાં પરસત્તાવલંબક છે, પણ તે પરસત્તાવલંબી જ્ઞાનને પરમાર્થતા કહેતો નથી. સ્વસત્તાવલંબનશીલ હોય તેનું નામ જ્ઞાન. તે જ્ઞાનને સહકારભૂત-નિમિત્તરૂપ અનેક પ્રકારના ઔદયિકભાવ હોય છે; જ્ઞાની તે ઔદયિકભાવનો તમાશગીર છે, પણ તેનો કર્તા નથી, ભોક્તા નથી કે અવલંબી નથી. તેથી કોઈ એમ કહે કે સર્વથા અમુક પ્રકારનો ઔદયિકભાવ હોય તો જ અમુક ગુણસ્થાન કહીએ”—તો એ જૂઠો છે; તેણે દ્રવ્યના સ્વરૂપને સર્વથા પ્રકારે જાણ્યું નથી. -કેમ? કારણ કે, અન્ય ગુણસ્થાનોની તો વાત શું કહેવી, કેવળીઓને પણ ઔદયિકભાવનું નાનાપણું-અનેકપણું જાણવું. કેવળીઓના પણ ઔદયિકભાવ એકસરખા હોય નહિ; કોઈ કેવળીને દંડ-કપાટરૂપ (સમુઘાતરૂપ) ક્રિયાનો ઉદય હોય, કોઈ કેવળીને તે ન હોય. એ પ્રમાણે કેવળીઓમાં પણ ઉદયની અનેકરૂપતા છે. તો બીજા ગુણસ્થાનોની તો વાત શું કહેવી? માટે ઔદયિકભાવોના ભરોસે જ્ઞાન નથી; જ્ઞાન સ્વશક્તિપ્રમાણ છે. સ્વપરપ્રકાશક જ્ઞાનની શક્તિ, જ્ઞાયકપ્રમાણ જ્ઞાન તથા યથાનુભવ પ્રમાણ સ્વરૂપાચરણચારિત્ર, –એ જ્ઞાતાનું સામર્થ્ય છે.” ભૂમિકાઅનુસાર પરાશ્રિતભાવ હોય તે જુદી વાત છે, ને તે પરાશ્રિતભાવને મોક્ષમાર્ગ માની લેવો તે જાદી વાત છે. પરાશ્રિતભાવ તો જ્ઞાનીને ય હોય પણ તે તેને મોક્ષમાર્ગ માની લેતા નથી, શુદ્ધ સ્વભાવના આશ્રયે Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
SR No.008202
Book TitleAdhyatma Sandesh
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1965
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, Sermon, K000, & K005
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy