SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પરમાર્થ વચનિકા : ૧૬૧ ગુણસ્થાને, જે અશુદ્ધતા વિદ્યમાન હોય તેનું જ હેયપણું સમજવું. જેમ જેમ ગુણસ્થાન વધતું જાય તેમ તેમ યરૂપ ભાવો ઘટતા જાય છે, ને ઉપાદેયરૂપ ભાવો વધતા જાય છે; અંતે હેયરૂપ સમસ્ત ભાવો છૂટીને સર્વથા પ્રકારે ઉપાદેય એવી સિદ્ધદશા પ્રગટે છે. પછી ત્યાં હેયઉપાદેયપણાની કોઈ પ્રવૃત્તિ બાકી રહેતી નથી, એ કૃતકૃત્ય છે. જાઓ, આમાં હેય-ઉપાદેયશક્તિ વધે તેમ તેમ ગુણસ્થાન વધે છેએમ કહ્યું, અને હેય-ઉપાદેય તો પોતાના અશુદ્ધ-શુદ્ધ ભાવો જ કહ્યા; પણ પદ્રવ્યના ગ્રહણ-ત્યાગઅનુસાર ગુણસ્થાન વધે એમ ન કહ્યું. વસ્ત્રાદિ છોડે માટે ગુણસ્થાન વધી જાય એવો નિયમ નથી પણ મિથ્યાત્વાદિ પરભાવ છોડ તેના પ્રમાણમાં ગુણસ્થાન વધે. અને ગુણસ્થાન વધતાં તેતે ગુણસ્થાન અનુસાર બહારનો ત્યાગ (જેમકે છઠે વસ્ત્રાદિનો ત્યાગ) તો સહજપણે સ્વયમેવ હોય. પણ તે ત્યાગનું કર્તાપણું આત્માને નથી, આત્માને તો તેનું જ્ઞાતાપણું છે. આત્માને તે જ્ઞયપણે છે, ઉપાદેયપણે નથી. હેય-શૈય-ઉપાદેય સંબંધી જ્ઞાતાના વિચાર તો આવા હોય; આથી વિરુદ્ધ વિચાર હોય તો તે અજ્ઞાનીના વિચાર છે. મોક્ષમાર્ગ કાંઈ બે પ્રકારના નથી, મોક્ષમાર્ગનો એક જ પ્રકાર છે; સ્વાશ્રિતભાવરૂપ એક જ પ્રકારનો મોક્ષમાર્ગ છે, ને પરાશ્રિતભાવ તે મોક્ષમાર્ગ નથી. પરાશ્રિતભાવને જે મોક્ષમાર્ગ માને તેની ચાલ મોક્ષમાર્ગથી વિપરીત છે. સ્વાશ્રિતમોક્ષના માર્ગનું વર્ણન કરતાં સમયસાર ગા. ર૭૬-૨૭૭ માં કહ્યું છે કે-આચારાંગ આદિનું જ્ઞાન , નવતત્ત્વની ભેદરૂપ શ્રદ્ધા કે ઇ જીવનિકાયની દયાના શુભ પરિણામરૂપ વ્યવહારચારિત્ર-આવા જે પરાશ્રિતભાવો તેના આશ્રયે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગ માનવામાં દોષ આવે છે કેમકે અજ્ઞાનીનેય તેવા પરાશ્રિત જ્ઞાનાદિ હોવા છતાં તેને મોક્ષમાર્ગ હોતો નથી, અને જ્ઞાનીને ઉપલીદશામાં તેવા પરાશ્રિતભાવો ન હોય તોપણ મોક્ષમાર્ગ હોય છે. માટે પરાશ્રિતભાવોમાં મોક્ષમાર્ગ નથી. શુદ્ધઆત્મા જ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનો આશ્રય છે-એ એકાંત (અબાધિત) નિયમ છે. જ્યાં શુદ્ધાત્માનો આશ્રય છે ત્યાં જરૂર મોક્ષમાર્ગ છે; જ્યાં શુદ્ધાત્માનો આશ્રય નથી ત્યાં મોક્ષમાર્ગ નથી. આ રીતે મોક્ષમાર્ગ સ્વાશ્રિત છે. અને પરાશ્રિત મોક્ષમાર્ગ નથી તેથી પરાશ્રિત એવો વ્યવહાર નિષેધવાયોગ્ય છે. –હેય છે. સ્વસત્તાના અવલંબને જ ધર્મી જીવ મોક્ષમાર્ગને સાધે છે. પરાવલંબી જ્ઞાનાદિને ધર્મી જીવ મોક્ષમાર્ગ માનતા નથી. અરે જીવ! તારી જ્ઞાનધારામાં પણ જેટલું પરાવલંબીપણું છે તે મોક્ષનું Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
SR No.008202
Book TitleAdhyatma Sandesh
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1965
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, Sermon, K000, & K005
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy