________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
હેય-શય-ઉપાદેયરૂપ જ્ઞાતાની ચાલનો વિચાર ગુણસ્થાન-અનુસાર હેય-શૈય-ઉપાદેયશક્તિ વધતી જાય છે પરસત્તાના અવલંબને જ્ઞાની કદી મોક્ષમાર્ગ માને નહિ
“હેય એટલે કે ત્યાગરૂપ તો પોતાના દ્રવ્યની અશુદ્ધતા; શેય એટલે કે વિચારરૂપ અન્ય ષટ દ્રવ્યનું સ્વરૂપ; ઉપાદેય એટલે કે આચરણરૂપ પોતાના દ્રવ્યની શુદ્ધતા. તેનું વિવેચનઃ જ્ઞાતાને ગુણસ્થાનકના પ્રમાણમાં હેય-mય-ઉપાદેયરૂપ શક્તિ હોય. જેમ જેમ જ્ઞાતાની હેય-શેયઉપાદેયશક્તિ વર્તમાન થતી જાય તેમ તેમ ગુણસ્થાનની વૃદ્ધિ કહી છે. ગુણસ્થાન પ્રમાણે જ્ઞાન અને ગુણસ્થાન પ્રમાણે ક્રિયા. તેમાં વિશેષ એટલું કે એક ગુણસ્થાનવર્તી અનેક જીવ હોય તેમને અનેકરૂપનું જ્ઞાન કહીએ તથા અનેકરૂપની ક્રિયા કહીએ. ભિન્ન-ભિન્ન સત્તાને પ્રધાનપણે (સર્વથા) એકતા હોય નહિ; દરેક જીવદ્રવ્યમાં ઔદયિકભાવ અન્યઅન્યરૂપ (ભિન્ન ભિન્ન) હોય; તે ઔદયિકભાવ-અનુસાર જ્ઞાનની અન્ય-અન્યતા જાણવી. પરંતુ વિશેષ એટલે કે કોઈ જાતનું જ્ઞાન એવું ન હોય કે પરસત્તાવલંબનશીલ થઈને મોક્ષમાર્ગ સાક્ષાત્ કહે. –કેમ? કે અવસ્થાના પ્રમાણમાં પરસત્તાવલંબક છે પણ તે પરસત્તાવલંબી જ્ઞાનને પરમાર્થતા કહેતા નથી. જે જ્ઞાન હોય તે સ્વસત્તાવલંબનશીલ હોય તેનું નામ જ્ઞાન.”
જુઓ, આ ધર્માની વિચારધારા! ધર્માત્મા પરદ્રવ્યને તો પોતાથી ભિન્ન જાણે છે, તે તો જુદા છે જ, એટલે તેમાં કાંઈ છોડવાપણું કે ગ્રહવાપણું આત્માને નથી. તે સમસ્ત પરદ્રવ્યો તો શેયરૂપ છે.
હવે જે કાંઈ ગ્રહવા જેવું કે છોડવા જેવું છે તે પોતામાં જ છે. પોતાની અવસ્થામાં જે અશુદ્ધતા છે તે હેય છે; અશુભરાગ હો કે શુભરાગ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk