________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સાધકની વિચારશ્રેણી અને સ્વભાવનો રંગ મોક્ષના સાધકના નિશ્ચય-વ્યવહાર, તેમાં શુદ્ધ સ્વરૂપની સન્મુખતા
જયારે જ્ઞાતા કદાચિત બંધપદ્ધતિનો વિચાર કરે ત્યારે તે જાણે કે આ બંધપદ્ધતિથી મારું દ્રવ્ય અનાદિકાળથી બંધરૂપ ચાલ્યું આવ્યું છે; હવે એ પદ્ધતિનો મોહ તોડીને વર્ત. આ પદ્ધતિનો રાગ પૂર્વની જેમ હું નર! તું શા માટે કરે છે?—આમ ક્ષણમાત્ર પણ બંધપદ્ધતિને વિષે તે મગ્ન થાય નહિ. તે જ્ઞાતા પોતાનું સ્વરૂપ વિચારે, અનુભવે, ધ્યાવે, ગાવે, શ્રવણ કરે, તથા નવધાભક્તિ, તપક્રિયા એ પોતાના શુદ્ધસ્વરૂપની સન્મુખ થઈને કરે, –એ જ્ઞાતાનો આચાર છે. એનું જ નામ મિશ્રવ્યવહાર છે.”
જાઓ, આ સાધક જીવનો વ્યવહાર, ને એની વિચારશ્રેણી ! એને સ્વભાવનો કેટલો રંગ છે! વારંવાર એનો જ વિચાર, એનું જ મનન, એના જ ધ્યાન-અનુભવનો અભ્યાસ, એના જ ગુણગાન ને એનું જ શ્રવણ, સર્વ પ્રકારે એની જ ભક્તિ; જે કાંઈ ક્રિયામાં પ્રવર્તે છે તેમાં સર્વત્ર શુદ્ધસ્વરૂપની સન્મુખતા મુખ્ય છે. એના વિચારમાં પણ સ્વરૂપના વિચારની મુખ્યતા છે, તેથી કહ્યું કે “જ્ઞાતા “કદાચિત બંધપદ્ધત્તિનો વિચાર કરે”... ત્યારે પણ બંધપદ્ધત્તિમાં તે મગ્ન થતો નથી પણ તેનાથી છૂટવાના જ વિચાર કરે છે. અજ્ઞાની તો બધુંય રાગની સન્મુખતાથી કરે છે, શુદ્ધસ્વરૂપની સન્મુખતા તેને નથી. તે કર્મબંધન વગેરેના વિચાર કરે તો તેમાં જ મગ્ન થઈ જાય છે ને અધ્યાત્મ તો એકકોર રહી જાય છે. અરે ભાઈ, એવી બંધપદ્ધત્તિમાં તો અનાદિથી તું વર્તી જ રહ્યો છે. હવે તો એનો મોહ છોડ. અનાદિથી એ પદ્ધત્તિમાં તારું જરાય હિત ન થયું, માટે એનો મોહ તોડીને હવે તો અધ્યાત્મપદ્ધત્તિ પ્રગટ કર. જ્ઞાનીએ તો તેનો મોહ તોડ્યો જ છે ને અધ્યાત્મ પદ્ધત્તિ પ્રગટ કરી છે, પણ હજી રાગની કંઈક પરંપરા બાકી છે તેને અધ્યાત્મની ઉગ્રતા વડ છેદવા માંગે છે. એટલે રાગની પદ્ધત્તિમાં તે એકક્ષણ પણ મગ્ન
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk