________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાર્થ વનિકા : ૧૪૯
થતો નથી. –જુઓ, આ મોક્ષના સાધકની દશા! ‘તું રુચતાં જગતની રુચિ આળસે સૌ '... શુદ્ધઆત્મારૂપ સમયસારની જ્યાં રુચિ થઈ ત્યાં પરભાવની રુચિ રહે નહિ; અરે, જગત આખાની રુચિ છૂટી જાય. જેને અંશમાત્ર પણ રાગની રુચિ રહે તેના પરિણામ ચૈતન્ય તરફ વળી શકે નહિ, ને મોક્ષમાર્ગને તે સાધી શકે નહિ.
રાગની રુચિ છોડીને ધર્મો જીવ ચૈતન્યના પ્રેમમાં એવો મગ્ન છે કે વારંવાર તેનું જ સ્વરૂપ વિચારે છે, ઉપયોગને ફરીફરી આત્મા તરફ વાળે છે, કયારેક કયારેક નિર્વિકલ્પ અનુભવ કરે છે, એકાગ્રતાથી એને ધ્યાવે છે. ‘ચેતનરૂપ અનૂપ અમૂરત... સિદ્ધસમાન સદા પદ મેરો'–એમ સિદ્ધ જેવા નિજસ્વરૂપનો અનુભવ કરે છે; એની વાત સાંભળતાં પણ તે ઉત્સાહિત થાય છે, એનાં ગુણગાન ને મહિમા કરતાં તે ઉલ્લસિત થાય છે. અહા, મારી ચૈતન્યવસ્તુ અચિંત્ય મહિમાવંત, એની પાસે રાગાદિ પરભાવો તો અવસ્તુ છે, –એ અવસ્તુની રુચિ કોણ કરે ? એનો મહિમા, એનાં ગુણગાન કોણ કરે? સમ્યગ્દષ્ટિ તો પોતાના શુદ્ધસ્વરૂપની નવધા ભક્તિ કરે છે, અથવા મુનિરાજની નવધા ભક્તિ કરે તેમાં પણ શુદ્ધસ્વરૂપની સન્મુખતા છે. આ વચનીકા લખનાર પં. બનારસીદાસજીએ સમયસારનાટકમાં, જ્ઞાની કેવી નવધા ભક્તિ કરે છે તેનું સુંદર વર્ણન કર્યું છેઃ
* આધ્યાત્મિક નવધા ભક્તિ *
श्रवण कीरतन चिंतवन सेवन वंदन ध्यान ।
लघुता समता एकता नौधा भक्ति प्रवान ।। ८ ।।
(મોક્ષદ્વાર )
૧. શ્રવણઃ ઉપાદેયરૂપ પોતાના શુદ્ધસ્વરૂપના ગુણોનું પ્રેમપૂર્વક શ્રવણ કરવું તે એક પ્રકારની ભક્તિ છે. જેના પ્રત્યે જેને ભક્તિ હોય તેને તેના ગુણગાન સાંભળતાં પ્રમોદ આવે છે; ધર્મીને નિજસ્વરૂપના ગુણગાન સાંભળતાં પ્રમોદ આવે છે.
૨. કીર્તનઃ ચૈતન્યના ગુણોનું, તેની શક્તિઓનું વ્યાખ્યાન કરવું, મહિમા ક૨વો, તે તેની ભક્તિ છે.
૩. ચિંતનઃ જેના પ્રત્યે ભક્તિ હોય તેના ગુણોનો વારંવાર વિચાર કરે છે; ધર્મી જીવ નિજસ્વરૂપના ગુણોનું વારંવાર ચિંતન કરે છે. એ પણ સ્વરૂપની ભક્તિનો પ્રકાર છે.
૪. સેવનઃ અંદરમાં નિજગુણોનું વારંવાર અધ્યયન કરવું.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk