________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષમાર્ગની સરસ વાત શુદ્ધનિશ્ચય-વ્યવહારને સમકિતી જ જાણે છે અધ્યાત્મપદ્ધત્તિથી મોક્ષ સધાય; બંધપદ્ધત્તિથી મોક્ષ ન સધાય
સમ્યગ્દષ્ટિ બાહ્ય ભાવને બાહ્ય નિમિત્તરૂપ માને છે; તે નિમિત્તો અનેકરૂપ છે, એકરૂપ નથી; તેથી અંતર્દષ્ટિના પ્રમાણમાં તે મોક્ષમાર્ગ સાધે છે. સમ્યજ્ઞાન અને સ્વરૂપાચરણની કણિકા જાગ્યે મોક્ષમાર્ગ સાચો. મોક્ષમાર્ગ સાધવો તે વ્યવહાર, અને શુદ્ધ દ્રવ્ય અક્રિયરૂપ તે નિશ્ચય, -આવા નિશ્ચય-વ્યવહારનું સ્વરૂપ સમ્યગ્દષ્ટિ જાણે છે, મૂઢ જીવ તે જાણતો નથી ને માનતો પણ નથી. મૂઢ જીવ બંધપદ્ધત્તિને સાધતો થકો તેને મોક્ષમાર્ગ કહે છે પણ જ્ઞાતા તે વાત માને નહિ. –કેમ? કારણ કે બંધને સાધવાથી બંધ સધાય પણ મોક્ષ ન સધાય.”
જાઓ, આ મોક્ષમાર્ગની સરસ વાત ! ધર્મી જીવ કયા પ્રકારથી મોક્ષમાર્ગ સાધે છે ને અજ્ઞાની તેમાં શું ભૂલ કરે છે તે બતાવ્યું છે. ધર્મી જીવને સંદેહરહિત સ્વાનુભવપૂર્વક દઢ નિર્ણય છે કે જ્ઞાનસ્વરૂપ જ હું છું, મારો મોક્ષમાર્ગ મારા જ્ઞાનસ્વરૂપના આશ્રયે જ છે. ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય તે મારો નિશ્ચય અને તેના આશ્રયે પ્રગટેલી શુદ્ધપર્યાય તે મારો વ્યવહાર; એ સિવાય રાગાદિ પરભાવો તે મારાથી બાહ્ય. જુઓ, અહીં વ્યવહાર ક્યો લીધો ?-કે શુદ્ધ દ્રવ્યના આશ્રયે નિર્મળ પર્યાય વડે મોક્ષમાર્ગને સાધવો તે ધર્મીનો વ્યવહાર છે. અજ્ઞાનીને આવો વ્યવહાર હોતો નથી, ને આવા વ્યવહારને તે જાણતો પણ નથી.
શુદ્ધ દ્રવ્ય તે નિશ્ચય ને શુદ્ધ પરિણતિ તે વ્યવહાર, એમ કહીને નિશ્ચય-વ્યવહાર બંનેને એક જ વસ્તુના અંગ બતાવ્યા, અને રાગાદિ અન્ય ભાવોને વ્યવહાર ન કહ્યો પણ નિમિત્ત” કહીને તેને ભિન્ન બતાવ્યા. આમાં ઘણી સરસ વાત છે. આ વ્યવહાર પોતામાં છે ને નિમિત્ત પરમાં છે. નિશ્ચય-વ્યવહાર બંને એક પ્રકારનાં-એક જાતનાં છે, ને પરભાવરૂપ નિમિત્તો
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk