________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમ્યગ્દષ્ટિનો વિચાર સ્વરૂપની નિઃસંદેહ અંતષ્ટિ વડે મોક્ષમાર્ગને સાધે છે.
“સમ્યક્ર-દષ્ટિ શું છે તે સાંભળો. સંશય, વિમોહ, વિભ્રમ એ ત્રણ ભાવ જેમાં નથી તે સમ્યક્દષ્ટિ છે. સંશય, વિમોહ, વિભ્રમ એટલે શું તેનું સ્વરૂપ દગંત વડે દર્શાવે છે, તે સાંભળોઃ જેમ કોઈ એક સ્થાનમાં ચાર પુરુષો ઊભા છે. બીજા કોઈ પુરુષે છીપનો એક કટકો તેમની પાસે લાવીને તે ચારેય પુરુષને દેખાડયો, અને દરેકને પ્રશ્ન કર્યો કે આ શું છે?-છીપ છે કે રૂપું છે?
* પ્રથમ એક પુરુષ-કે જે સંશયદષ્ટિવાળો હતો તે બોલ્યો કે કાંઈ સૂઝ
નથી પડતી, –આ છીપ છે કે રૂપું છે? મારી દ્રષ્ટિમાં એનો કોઈ નિર્ધાર થતો નથી.
* બીજો વિમોહવાળો પુરુષ બોલ્યો કે મને એ કાંઈ સમજ નથી પડતી કે તમે છીપ કોને કહો છો, ને રૂપું કોને કહો છો? મારી દ્રષ્ટિમાં કાંઈ આવતું નથી તેથી હું નથી જાણતો કે તમે શું કહો છો? અથવા, ઘેલછાથી–ગાફેલપણાથી તે ચૂપ રહે, બોલે નહિ.
* પછી ત્રીજો પુરુષ વિભ્રમવાળો બોલ્યો કે આ તો પ્રત્યક્ષ-પ્રમાણથી રૂપે જ છે, આને છીપ કોણ કહે? મારી દષ્ટિમાં તો રૂપે સૂઝે છે, તેથી સર્વથા પ્રકારે આ રૂપું છે. -આ ત્રણે પુરુષોએ તો છીપના સ્વરૂપને જાણ્યું નહિ, તેથી ત્રણે મિથ્યાવાદી છે.
* હવે ચોથો પુરુષ બોલ્યો કે આ તો પ્રત્યક્ષપ્રમાણ છીપનો કટકો છે, તેમાં સંશય શો? છીપ... છીપ... છીપ... ચોક્કસ છીપ. જો કોઈ આને બીજી વસ્તુ કહે તો પ્રત્યક્ષપ્રમાણ ભ્રમિત અથવા અંધ.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk