________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અજ્ઞાની અને જ્ઞાની વચ્ચેનો મૂળભૂત તફાવત. જ્ઞાની આત્માશ્રિત અધ્યાત્મક્રિયા વડે મોક્ષમાર્ગને સાધે છે. અજ્ઞાની તે ક્રિયાને જાણતો નથી ને બાહ્યક્રિયાને
મોક્ષમાર્ગ માને છે.
વળી મૂઢ જીવ તથા જ્ઞાનીજીવ એ બંનેનું વિશેષપણું હજી પણ સાંભળો
“જ્ઞાતા તો મોક્ષમાર્ગ સાધી જાણે; મૂઢ મોક્ષમાર્ગ સાધી જાણે નહિ. શા માટે ? તે સાંભળોઃ મૂઢ જીવ આગમપદ્ધત્તિને વ્યવહાર કહે, અને અધ્યાત્મપદ્ધત્તિને નિશ્ચય કહે; તેથી તે એકાંતપણે આગમઅંગને સાધી તેને મોક્ષમાર્ગ દર્શાવે છે, અધ્યાત્મઅંગના વ્યવહારને જાણતો નથી. એ મૂઢદષ્ટિનો સ્વભાવ છે. તેને એ પ્રમાણે સૂઝે જ કયાંથી? કારણ કે આગમ-અંગ બાહ્યક્રિયારૂપ પ્રત્યક્ષપ્રમાણ છે તેનું સ્વરૂપ સાધવું સુગમ છે; તે બાહ્યક્રિયા કરતો થકો મૂઢ જીવ પોતાને મોક્ષમાર્ગનો અધિકારી માને છે, પણ અંતર્ગર્ભિત જે અધ્યાત્મરૂપ ક્રિયા તે અંતર્દષ્ટિગ્રાહ્ય છે તે ક્રિયાને મૂઢ જીવ જાણતો નથી. અંતરદૃષ્ટિના અભાવથી અંતરક્રિયા દષ્ટિગોચર. થાય નહિ. તેથી મિથ્યાદષ્ટિ જીવ મોક્ષમાર્ગ સાધવાને અસમર્થ છે.”
જાઓ, આમાં મોક્ષમાર્ગની કેટલી સ્પષ્ટતા કરી છે? મોક્ષમાર્ગ તો અંતરના અનુભવની અધ્યાત્મક્રિયામાં છે, એ ક્રિયાને અંતરદૃષ્ટિ વડે ધર્માત્મા જ જાણે છે. મોક્ષમાર્ગની ક્રિયા શું છે તે બહારની દષ્ટિથી જણાય નહિ. અજ્ઞાની શુભરાગને અને બહારની ક્રિયાને જ દેખે છે, તેને જ તે વ્યવહાર કહે છે ને તેને જ મોક્ષમાર્ગ માને છે, અંતરના સાચા મોક્ષમાર્ગને સાધવાનું તે જાણતો નથી. બહારની ક્રિયામાં ને શુભરાગમાં કાંઈ મોક્ષમાર્ગ નથી. અહીં તો પં. શ્રી બનારસીદાસજી સ્પષ્ટ કહે છે કે બાહ્ય ક્રિયા કરતો થકો મૂઢ જીવ પોતાને મોક્ષમાર્ગનો અધિકારી માને છે. એકલી અશુદ્ધપરિણતિરૂપ આગમપદ્ધત્તિને તે વ્યવહાર કહે છે, ને અધ્યાત્મપદ્ધત્તિના વ્યવહારને એટલે કે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk