________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આગમ અને અધ્યાત્મ બંને પદ્ધત્તિમાં અનંતતા; તે અનંતતાને જાણનાર કેવળજ્ઞાનનું દિવ્યસામર્થ્ય
હવે, આગમ તથા અધ્યાત્મ એ બંને પદ્ધત્તિમાં અનંતતા કહી તે સંબંધી વિચાર લખે છે
અનંતતાનું સ્વરૂપ દગંત વડે દર્શાવીએ છીએ. જેમકે, વડના વૃક્ષનું એક બીજ હાથમાં લઈને તેના ઉપર દીર્ધદષ્ટિથી વિચાર કરીએ તો વડના તે બીજ વિષે એક વડનું ઝાડ છે, ભાવિકાળમાં જેવું વૃક્ષ થનાર છે તેવા વિસ્તાર સહિત તે બીજમાં વાસ્તવરૂપે વિધમાન-છતું છે, અનેક શાખા-પ્રશાખા-પત્ર-પુષ્પ-ફળયુક્ત છે, તેના પ્રત્યેક ફળમાં એવા અનેક બીજ છે. એ પ્રકારની અવસ્થા એક વડના બીજ વિષે વિચારવી. વળી સૂક્ષ્મદષ્ટિથી જોઈએ તો તે વડના વૃક્ષમાં જે જે બીજ છે તે તે અંતર્ગર્ભિત-વડવૃક્ષ સંયુક્ત છે. એ પ્રમાણે એક વડમાં અનેક અનેક બીજ, અને એકેક બીજ વિષે એકેક વડવૃક્ષ, -તેનો વિચાર કરીએ તો ભાવિનયની પ્રધાનતાથી ન તો વડવૃક્ષની મર્યાદા પમાય કે ન બીજની મર્યાદા પમાય. એ પ્રમાણે અનંતતાનું સ્વરૂપ જાણવું. તે અનંતતાના સ્વરૂપને કેવળજ્ઞાનીપુરુષ પણ અનંત જ દેખું-જાણે-કહે; અનંતનો બીજો અંત છે જ નહિ કે જે જ્ઞાનમાં ભાસે. માટે અનંતતા અનંતરૂપ જ પ્રતિભાસે છે. એ પ્રમાણે આગમ તથા અધ્યાત્મની અનંતતા જાણવી.”
અનંતતા સમજાવવા અહીં વૃક્ષ અને બીજનું દષ્ટાંત આપ્યું છે. વૃક્ષ અને બીજની પરંપરા અનાદિની છે, પહેલાં વૃક્ષ કે પહેલાં બીજ ?-તો પરંપરાથી બંને અનાદિના છે. ને સૂક્ષ્મ વિચારથી જોતાં એકેક બીજમાં ભવિષ્યના અનંતા વૃક્ષની તાકાત છે. –એમ બંનેની પરંપરા વિચારતાં તેનો કયાંય પાર ન આવે. તેમ જીવમાં વિકારની ને કર્મની પરંપરા અનાદિથી
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk