________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫રમાર્થ વનિકા : ૧૨૩
પ્રગટ કરી શકે છે, પણ જગતમાંથી અશુદ્ધ ભાવનો સર્વથા અભાવ થઈ જાય–એમ કદી બનવાનું નથી. જગતમાં તો બધા ભાવવાળા જીવો સદાય રહેવાના છે. જગતમાં સિદ્ધ પણ અનાદિથી થતા આવે છે ને નિગોદ પણ અનાદિથી છે, મિથ્યાદષ્ટિ પણ અનાદિથી છે ને સમ્યગ્દષ્ટિ પણ અનાદિથી છે, અજ્ઞાની પણ છે ને કેવળજ્ઞાની પણ છે; એમ બધા પ્રકારના જીવો જગતમાં સદાય રહેવાના છે. -કોઈ જીવ આખા જગતમાંથી અજ્ઞાનનો ને અશુદ્ધતાનો અભાવ કરવા માગે તો તેમ ન કરી શકે, પણ પોતે પોતાના આત્મામાંથી અજ્ઞાન અને અશુદ્ધતા મટાડીને કેવળજ્ઞાન અને સિદ્ધપદ પ્રગટ કરી શકે.
જેટલા શુભાશુભ વ્યવહારભાવો છે તે બધાય આગમપદ્ધતિમાં છે; આગમપદ્ધતિ તે બંધપદ્ધતિ છે, અથવા કર્મપદ્ધતિ છે, તેમાં ધર્મ નથી. ધર્મ તો અધ્યાત્મપદ્ધતિમાં છે; અધ્યાત્મપદ્ધતિ તે મોક્ષમાર્ગરૂપ છે; તે શુદ્ધભાવરૂપ છે. આ શુદ્ધભાવરૂપ અધ્યાત્મપદ્ધતિમાં આત્માનો અધિકાર કહ્યો, પણ આગમપદ્ધત્તિમાં આત્માનો અધિકાર ન કહ્યો, કેમકે તે આત્માના સ્વભાવરૂપ નથી પણ વિભાવરૂપ છે.
'
અહીં ‘આગમપદ્ધતિ ' કહી તેમાં ‘આગમ 'નો અર્થ સિદ્ધાંતરૂપ શાસ્ત્ર ન સમજવો. પણ આગમપદ્ધતિ એટલે અનાદિથી ચાલી આવેલી પરંપરા. અથવા આગમ એટલે આગંતુક ભાવો. વિકારી ભાવો છે તે નવા આગંતૂક છે, તે સ્વભાવમાં નથી પણ કર્મનિમિત્તે પર્યાયમાં નવા નવા ઉત્પન્ન થયેલા છે, ને અનાદિથી તેનો પ્રવાહ ચાલ્યો આવે છે. વિકાર અને તેના નિમિત્તરૂપ કર્મ એ બંનેનો પ્રવાહ અનાદિથી ચાલ્યો આવે છે તેનું નામ આગમપદ્ધતિ છે. ને જીવમાં જે નવી અપૂર્વ અધ્યાત્મદશા એટલે કે શુદ્ધપર્યાય પ્રગટે તે અધ્યાત્મપદ્ધતિ છે. આ બંને પ્રકારના ભાવો જગતમાં સદાય વર્તતા જ હોય છે. એ બંનેનું હવે વિવેચન કરે છે.
શુદ્ધ વસ્તુસ્વરૂપને અનુભવનારો ભાવ તે વસ્તુમાં લીન થયેલો છે; વસ્તુથી
બહા૨ ૨હેલો કોઈ ભાવ વસ્તુને અનુભવી
શકતો નથી. શુદ્ધ વસ્તુની અનુભૂતિ
નિર્વિકલ્પ છે, વિકલ્પ એનાથી બહાર છે.
卐
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk