________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫રમાર્થ વનિકા : ૧૧૭
ઉત્તરઃ- સમ્યગ્દષ્ટિની નિશ્ચયદષ્ટિમાં-પ્રતીતમાં કાંઈ શુદ્ધાશુદ્ધ આત્મા નથી, એની દ્દષ્ટિમાં તો શુદ્ધ આત્મા છે; પણ પર્યાયમાં હજી તેને સમ્યગ્દર્શન-જ્ઞાન તથા સ્વરૂપાચરણચારિત્રાદિ શુદ્ધ અંશોની સાથે રાગાદિક અશુદ્ધઅંશો પણ છે, એ રીતે શુદ્ધ અને અશુદ્ધ એવા મિશ્રભાવરૂપ અવસ્થા છે, તે મિશ્રઅવસ્થા સાથે અભેદતા ગણીને તે દ્રવ્યને પણ તેવું ‘મિશ્રનિશ્ચયાત્મક ’ કહ્યું છે. દ્રવ્યદૃષ્ટિથી જોતાં તો દ્રવ્ય શુદ્ધ જ છે, અશુદ્ધતા તેમાં નથી. -“ णवि होदि अप्पमत्तो ण पमत्तो जाणगो दु जो માળે, વં મળતિ સુદ્ધ નામો નો સો ૩ સો લેવા ।।” એટલે આત્માને શુદ્ધદ્રવ્યદષ્ટિથી જુઓ તો તે પ્રમત્ત-અપ્રમત્ત કે શુદ્ધ-અશુદ્ધ એવા ભેદ વગરનો એકરૂપ શુદ્ધ જ્ઞાયક છે, ને એ જ્ઞાયકસ્વભાવ વિકારરૂપે થયો નથી. –એ જ સમ્યગ્દર્શનનો વિષય છે. પર્યાયમાં શુદ્ધ-અશુદ્ધપણું વગેરે પ્રકારો છે. જ્યારે આવો જ્ઞાયકસ્વભાવ ઉપાસવામાં આવે ત્યારે પર્યાય શુદ્ધ થાય છે, અને જ્યારે એ સ્વભાવને ભૂલીને વિકારમાં જ લીનપણે વર્તે ત્યારે પર્યાય અશુદ્ધ થાય છે. આ શુદ્ધ કે અશુદ્ધ પર્યાયની સાથે અભેદતાથી દ્રવ્યને પણ શુદ્ધ, અશુદ્ધ કે મિશ્ર કહ્યું છે. કેમકે તે-તે કાળે તેવા ભાવપણે દ્રવ્ય પોતે પરિણમ્યું છે, દ્રવ્યનું જ તે પરિણમન છે, તે કાંઈ દ્રવ્યથી જાદું કોઈ બીજાનું પરિણમન નથી.
જુઓ, સાધકદશામાં શુદ્ધતા પણ છે ને અશુદ્ધતા પણ છે; બંને એક સાથે એક પર્યાયમાં છે છતાં બંનેની ધારા જુદી છે, શુદ્ધતા તો શુદ્ધદ્રવ્યના આશ્રયે છે ને અશુદ્ધતા પ૨ના આશ્રયે છે, –બંનેની જાત જુદી છે. બંને સાથે હોવા છતાં જે અશુદ્ધતા છે તે કાંઈ વર્તમાન પ્રગટેલી શુદ્ધતાનો નાશ કરી દેતી નથી. –આવી મિશ્રધારા સાધકને હોય છે.
તેરમા-ચૌદમા ગુણસ્થાને કેવળીભગવાન પૂર્ણ યથાખ્યાત ચારિત્રના બળવડે શુદ્ધાત્મસ્વરૂપમાં જ રમણશીલ છે. જો કે યથાખ્યાત ચારિત્ર તો બારમા ગુણસ્થાને પણ પૂરું હતું પણ ત્યાં હજી કેવળજ્ઞાન ન હતું, હવે કેવળજ્ઞાન અને અનંત સુખ ઊઘડી જતાં પૂર્ણ ઇષ્ટપદની પ્રાપ્તિ થઈ, સાધ્ય હતું તે સધાઈ ગયું, ને આવરણનો અત્યંત અભાવ થઈ ગયો, તેથી શુદ્ધ પરિણતિરૂપ શુદ્વવ્યવહાર કહ્યો છે. તેરમા ગુણસ્થાને યોગારૂઢદશા એટલે યોગનું કંપન છે અને ચૌદમા ગુણસ્થાને યોગનું કંપન નથી, પરંતુ ત્યાં હજી અસિદ્ધપણું છે, એટલે સંસારીપણું છે, તેથી ત્યાં સુધી વ્યવહાર ગણ્યો છે. સિદ્ધભગવાન સંસારથી પાર છે તેથી તેઓ વ્યવહારાતીત છે. જ્યાં સુધી અસિદ્ધપણું છે, ત્યાં સુધી વ્યવહાર છે, સિદ્ધો વ્યવહાર-વિમુક્ત
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk