________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સંસારી જીવની અવસ્થા અને પુદ્ગલનો સંબંધ
5
แ
‘હુંવે જીવદ્રવ્ય તથા પુદ્દગલદ્રવ્ય એકક્ષેત્રાવગાહી અનાદિ કાળથી છે; તેમાં વિશેષ એટલું કે જીવ દ્રવ્ય એક; અને પુદ્ગલ પરમાણુઅનંતાનંત, દ્રવ્ય ચલાચલરૂપ, આગમનગમનરૂપ, પરિણમનરૂપ, બંધમુક્તિશક્તિસહિત વર્તે છે. ”
અનંત-આકાર
સંસારમાં અનંતા જીવો, અને જીવ કરતાં અનંતગુણા પુદ્દગલો છે; તે દરેકના પરિણામ સ્વતંત્ર છે. આવા જીવ અને પુદ્દગલદ્રવ્યો જગતમાં અનાદિકાળથી એકક્ષેત્રાવગાહીપણે રહેલાં છે. અનંતાનંત પુદ્દગલપરમાણુઓ એકેક જીવ સાથે સંબંધપણે રહેલાં છે; ચૌદમા ગુણસ્થાનના છેલ્લા સમયમાં વર્તતો જીવ-કે બીજા જ સમયમાં સિદ્ધ થવાનો છે અને જેની કર્મવર્ગણા સૌથી ઓછી છે તેના કર્મમાં પણ અનંતા પુદ્દગલ પરમાણુઓ છે. સંસારમાં કોઈ જીવ એવો નથી કે જેની સાથે એકક્ષેત્રાવગાહપણે અનંતા કર્મપુદ્દગલો રહેલાં ન હોય. જોકે, જ્યાં સિદ્ધ છે ત્યાં પણ અનંતા પુદ્દગલો રહેલા છે પરંતુ અહીં તેની વાત નથી, કેમકે સિદ્ધો સંપૂર્ણ શુદ્ધ હોવાથી તેમને તે પરમાણુઓ સાથે નિમિત્તનૈમિત્તિક સંબંધ નથી. સંસારી જીવને અશુદ્ધતાના નિમિત્તે જે કર્મપરમાણુઓ એકક્ષેત્રાવગાહપણે રહેલાં છે તેની અહીં વાત છે.
હવે એક બીજી વાતઃ જીવ અને પુદ્દગલો અનાદિથી એક ક્ષેત્રે રહેલા છે તોપણ બંનેના સ્વપ્રદેશો તો સદાય દેદા છે. આકાશની અપેક્ષાએ બંનેનું એક ક્ષેત્ર કહેવાય છે, પરંતુ ખરેખર દરેક દ્રવ્યને પોતાના સ્વપ્રદેશો ભિન્નભિન્ન છે. એકેક જીવને અસંખ્ય સ્વપ્રદેશો છે ને તે અરૂપી છે; એકેક પુદ્દગલ પરમાણુને પોતાનો એક પ્રદેશ છે ને તે રૂપી છે. એક ક્ષેત્રે અનંતા જીવો હોય છતાં તેમાંના દરેક જીવના સ્વપ્રદેશો દેજીદા છે. કોઈ એક દ્રવ્યના સ્વપ્રદેશ કદી બીજામાં ભળી જતા નથી. શ્રી સમયસારમાં કહે છે કે “સર્વ પદાર્થો પોતાના દ્રવ્યમાં અંતર્મગ્ન રહેલ પોતાના અનંત ધર્મોના
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk