SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દરેક જીવ-પુદ્ગલની ભિન્ન ભિન્ન પરિણતિ હવે જીવ અને પુદ્ગલની ભિન્ન ભિન્ન પરિણતિનું કથન કરે છે – જાદા જાદા રૂપે જીવદ્રવ્યની પરિણતિ તથા જુદા જુદા-રૂપે પુદ્ગલ દ્રવ્યની પરિણતિ છે; તેનું વિવરણઃ એક જીવદ્રવ્ય જે પ્રકારની અવસ્થા સહિત અનેક આકારરૂપ પરિણમે તે પ્રકાર અન્ય જીવથી મળતો આવે નહિ; અન્ય જીવનું તેનાથી અન્ય અવસ્થારૂપ પરિણમન હોય. એ પ્રમાણે અનંતાનંત સ્વરૂપ જીવદ્રવ્ય અનંતાનંત-સ્વરૂપ અવસ્થાપૂર્વક વર્તી રહ્યા છે. કોઈ જીવદ્રવ્યના પરિણામ કોઈ પણ અન્ય જીવદ્રવ્યથી મળતા આવે નહિ. એ જ પ્રમાણે એક પુદગલપરમાણુ એક સમયમાં જે પ્રકારની અવસ્થા ધારણ કરે તે અવસ્થા અન્ય પુદગલપરમાણુ દ્રવ્યથી મળતી આવે નહિ તેથી પુગલ-પરમાણુ દ્રવ્યની પણ અન્ય-અન્યતા જાણવી.” સંસાર અવસ્થામાં જીવ અને પુદ્ગલોનો સંયોગ હોવા છતાં બંનેની પરિણતિ જુદી જુદી જ છે; કોઈ એકબીજાની પરિણતિમાં કાંઈ કરતા નથી. વળી સંસારમાં કોઈ પણ બે જીવની પરિણતિ બધી રીતે મળતી આવે નહિ, કાંઈક ને કાંઈક ફેર હોય જ. સિદ્ધમાં બધા જીવો ગુણમાં સરખા, પણ સંસાર તો ઉદયભાવ છે, તેમાં કોઈ એક જીવ અનેક આકારરૂપ એટલે કે અનેક પ્રકારની અવસ્થારૂપ જે રીતે પરિણામે તે બીજા જીવ સાથે સર્વ પ્રકારે મળતું આવે નહિ. કેવળજ્ઞાનાદિ કોઈ પ્રકારે સરખા હોય પણ ઔદયિકભાવમાં કોઈને કોઈ પ્રકારની વિશેષતા હોય છે. -એવો જ સંસારનો સ્વભાવ છે. જેમ જીવોની અવસ્થામાં ભિન્નભિન્ન પ્રકારો છે તેમ તેના નિમિત્તરૂપ પુદ્ગલ કર્મની અવસ્થામાં પણ ભિન્નભિન્ન પ્રકારો છે. કોઈ બે પરમાણુની અવસ્થા સર્વ પ્રકારે એકબીજાને મળતી આવે નહિ. જુઓ તો ખરા, આ વસ્તુસ્વભાવ. એક જ શરીરમાં અનંતા નિગોદ Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
SR No.008202
Book TitleAdhyatma Sandesh
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1965
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, Sermon, K000, & K005
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy