________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧OO : અધ્યાત્મ-સંદેશ દેવના જૈનશાસન સિવાય બીજે કયાંય આવી વાત હોય નહીં. ઘણા લોકો તો જીવની સ્વતંત્ર સત્તાને જ સ્વીકારતા નથી; તેઓ તો એમ માને છે કે કોઈ ઇશ્વરે આ જીવને બનાવ્યો, અથવા બધા ભેગા થઈને અંત છે, - એટલે એકેક જીવની પૂર્ણ સત્તાને તેઓએ ઓળખી નહિ; પોતાને તેમજ જગતના બીજા અનંતા જીવોને તેણે પરાધીન અને અપૂર્ણ માન્યા, જ્યાં જીવનું પૂરું અસ્તિત્વ જ ન માને ત્યાં તેની પૂર્ણદશાને તો કયાંથી સાધી શકે? માટે પહેલાં તો ભગવાન સર્વજ્ઞ-ઇશ્વરે કહ્યા પ્રમાણે જગતમાં અનંતા જીવોનું સ્વતંત્ર અસ્તિત્વ, અને તેમાં એકેક જીવ પોતાના અનંત ગુણોથી પરિપૂર્ણ–તેની ઓળખાણ કરવી જોઈએ. આમાં જ જેની ભૂલ હોય તેને તો પરમાર્થનો સાચો વિચાર ઊગે જ નહિ. માટે શરૂઆતથી જ એ વાત ઉપાડી કે
*
*
*
* જગતમાં અનંતા જીવો ભિન્ન ભિન્ન છે. * એકેક જીવદ્રવ્યમાં અનંત ગુણો છે. * એકેક ગુણની અનંત પર્યાયો છે; અથવા અનંતગુણોની દરેકની પર્યાય - વર્તે છે એ રીતે એક સમયમાં અનંત ગુણોની અનંતી પર્યાયો છે. * એકેક ગુણના અસંખ્ય પ્રદેશો છે. જેટલા જીવના પ્રદેશો છે, તેટલા જ દરેક ગુણના પ્રદેશો છે.
આ જીવના દ્રવ્ય-ગુણ-પર્યાય બતાવ્યા. * હવે સંસારી જીવને એકેક પ્રદેશ અનંત કર્મવર્ગણા છે. * એકેક કર્મવર્ગણામાં અનંતાનંત પુદ્ગલ પરમાણુઓ છે. * ને તેમાં એકેક પરમાણુ અનંત ગુણ-પર્યાયો સહિત છે.
આ પ્રમાણે એકેક સંસારી જીવની સ્થિતિ છે. અને આવી સપિંડ અવસ્થારૂપ એટલે કે કર્મના સંયોગવાળા જીવો સંસારમાં અનંત છે. સંસારથી મુક્ત એવા સિદ્ધ જીવો પણ અનંત છે, ને સંસારી જીવો એના કરતાં પણ અનંત છે. –કેટલા? કે બટેટા વગેરે કંદમૂળની એક ઝીણી કટકીમાં અસંખ્યાતા ઔદારિક શરીરો અને એકેક શરીરમાં સિદ્ધો કરતાં અનંતગુણા જીવો છે. નિગોદથી માંડીને ચૌદમાં ગુણસ્થાન સુધીનો દરેક સંસારી જીવ અનંતાનંત પુદ્ગલદ્રવ્યથી સંયોગિત છે. છતાં તેમાં જીવ અને પુદ્ગલ બંને પોતપોતાની પરિણતિમાં ભિન્નભિન્ન પરિણમી રહ્યા છે.
જુઓ, આ અનંતા જીવો ને અનંતાનંત પુદ્ગલ, તથા તેના અનંત ગુણ-પર્યાયો, -આ બધાને એક સમયમાં જાણી લેવાની આત્મામાં તાકાત છે. આવી વસ્તુસ્થિતિનું વર્ણન જૈનદર્શન સિવાય બીજે કયાંય હોય નહીં.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk