________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જગતની વસ્તુસ્થિતિ તેમાં જીવ અને પરમાણુનાં દ્રવ્ય-ગુણ-પર્યાય
૫. શ્રી બનારસીદાસજી અધ્યાત્મરસિક વિદ્વાન હતા; સમયસારનાટક તેમણે રચ્યું છે. આગમ-અધ્યાત્મ સંબંધી સૂક્ષ્મ વિચારોથી ભરેલી એક વચનિકો તેમણે લખી છે, તે વંચાય છે. આગમ શું, અધ્યાત્મ શું, નિશ્ચય-વ્યવહાર ધર્મીને કેવા હોય, ધર્મ સમ્યગ્દષ્ટિના વિચાર કેવા હોય, મૂઢદષ્ટિ જીવ કેવો હોય, હેય-ઉપાદેય સંબંધી જ્ઞાનીના વિચાર કેવા હોય, ને મોક્ષમાર્ગ કેવા પ્રકારે સધાય-ઇત્યાદિ અનેક વિચારો તેમણે આ વચનિકામાં લખ્યા છે; અને છેલ્લે પ્રમોદથી પોતે જણાવે છે કે આ વચનિકા યથાયોગ્ય સુમતિ-પ્રમાણ કેવળીવચન-અનુસાર છે. જે જીવ આ સાંભળશે, સમજશે, શ્રદ્ધશે તેનું કલ્યાણ થશે. આવી આ પરમાર્થવચનિકા પ્રવચનમાં વંચાય છે. શરૂઆતમાં, આ સંસારમાં જીવ અને પુદ્ગલ પોતપોતાના દ્રવ્ય-ગુણ-પર્યાય સહિત કયા પ્રકારે છે તે બતાવે છે.
“એક જીવ દ્રવ્ય, તેના અનંત ગુણ, અનંત પર્યાય; એકેક ગુણના અસંખ્યાત પ્રદેશ. એકેક પ્રદેશ વિષે અનંતાકર્મવર્ગણા; એકેક કર્મવર્ગણા વિષે અનંતાનંત પુદ્ગલપરમાણુ. એકેક પુદ્ગલપરમાણુ અનંત ગુણ અનંત પર્યાય સહિત
બિરાજમાન છે. આ પ્રમાણે એક સંસાર-અવસ્થિત જીવપિંડની અવસ્થા છે. એ જ પ્રમાણે અનંત જીવદ્રવ્ય સપિંડરૂપ જાણવા. એક જીવદ્રવ્ય અનંતાનંત પુદ્ગલ દ્રવ્યથી સંયોગી માનવું.”
જાઓ, આ જૈન પરમેશ્વર સર્વજ્ઞદેવના શાસનની વાત. જગતમાં સ્વતંત્ર અનંતા જીવો, જીવ કરતાય અનંત ગુણા પુદ્ગલો, એકેક જીવમાં ને એકેક પુદ્ગલ પરમાણુમાં પોત પોતાના અનંત ગુણો, એનું પરિણમન, -એ બધું ભગવાન સર્વજ્ઞદેવ સિવાય બીજું કોઈ સાક્ષાત્ જાણી શકે નહિ, ને સર્વજ્ઞ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk