________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૮ : અધ્યાત્મ-સંદેશ
એટલે કે જ્યાં નિશ્ચય સમ્યગ્દર્શન હોય ત્યાં જ વ્યવહાર સમ્યગ્દર્શન હોય છે; તેથી વ્યવહાર સમ્યકત્વમાં નિશ્ચય સમ્યકત્વ નિરંતર ભેગું ને ભેગું વર્તે છે.
પરંતુ જ્યાં વ્યવહાર સમ્યકત્વ હોય ત્યાં જ નિશ્ચય સમ્યકત્વ હોય એવો કોઈ નિયમ નથી, અર્થાત્ વ્યવહાર વગર નિશ્ચય ન હોયએવો નિયમ નથી. સિદ્ધ ભગવાન વગેરેને સરાગરૂપ વ્યવહાર સમ્યગ્દર્શન નથી છતાં નિશ્ચય સમ્યકત્વ નિરંતર વર્તી રહ્યું છે.
આ રીતે નિશ્ચયનું અબાધિતપણું છે અર્થાત્ તે તો નિયમથી બધાય સમ્યગ્દષ્ટિઓને હોય જ છે; પરંતુ વ્યવહાર-સમ્યગ્દર્શન બધાયા સમ્યગ્દષ્ટિઓને હોય જ એવો કોઈ અબાધિત નિયમ નથી.
માટે સિદ્ધ થાય છે કે નિશ્ચય સમ્યગ્દર્શન તે જ મોક્ષમાર્ગનું સમ્યગ્દર્શન છે, ને વ્યવહાર સમ્યગ્દર્શન તે ખરેખર મોક્ષમાર્ગ નથી, તે મોક્ષમાર્ગમાં કોઈવાર સહકારી ભલે હોય, પરંતુ તે પોતે તો મોક્ષમાર્ગ નથી.
ચોથા ગુણસ્થાને એકલો વ્યવહાર હોય ને નિશ્ચય ન હોય-એમ કોઈ માને તો તે માન્યતા બરાબર નથી. તેમજ વ્યવહારના આધારે નિશ્ચય થશે-એમ કોઈ માને તો તે પણ બરાબર નથી. નિશ્ચય તો શુદ્ધ આત્માના આશ્રયે છે ને વ્યવહાર તો પરાશ્રયે છે.
વ્યવહાર વગર તો એકલો નિશ્ચય હોઈ શકે છે, પરંતુ નિશ્ચય વગર એકલો વ્યવહાર હોતો નથી; એટલે અહીં “નિશ્ચય સમ્યકત્વમાં વ્યવહાર-સમ્યકત્વ ગર્ભિત છે” એમ ન કહ્યું, પરંતુ વ્યવહાર સમ્યકત્વમાં નિશ્ચય સમ્યકત્વ ગર્ભિત છે”—એમ કહ્યું. કેવળજ્ઞાની વગેરેને કાંઈ વ્યવહાર સમ્યકત્વ નથી, એટલે નિશ્ચયની સાથે વ્યવહારનું પરિણમન સદાય હોવું જોઈએ એવો નિયમ નથી. પણ વ્યવહારની સાથે તો નિશ્ચય હોવો જ જોઈએ તો જ તે વ્યવહારને સાચો વ્યવહાર કહેવાય, એટલે કહ્યું કે-“સમ્યગ્દષ્ટિને વ્યવહાર સ ત્વમાં નિશ્ચય સમ્યકત્વ ગર્ભિત છે.” પણ મિથ્યાષ્ટિને નિશ્ચય વગરનો જે વ્યવહાર છે તે ખરેખર વ્યવહાર નથી પરંતુ વ્યવહારાભાસ છે. સર્વજ્ઞદેવ વગેરેને જો ખરેખર ઓળખે તો તે પોતાના આત્માને પણ જરૂર ઓળખે જ—એ વાત આગળ કહેવાઈ ગઈ છે. સમ્યગ્દષ્ટિને નિરંતર એટલે કે યાત્રા-પૂજનાદિ ક્રિયા વખતે કે લડાઈ - વેપારધંધા વગેરે ક્રિયા વખતે પણ નિશ્ચય સમ્યકત્વનું પરિણમન ચાલુ જ છે. જો તે ન હોય તો સમ્યગ્દષ્ટિપણું જ ન રહે.
જુઓ, આ સમ્યગ્દર્શનની ખોજ! વ્યવહાર માર્ગણામાં એમ આવે કે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk