________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષમાર્ગનું ઉદ્દઘાટન નિશ્ચય-સમ્યકત્વ વડે થાય છે. જેની સાથે નિશ્ચય હોય તે જ વ્યવહાર સાચો
વળી તમે જે નિશ્ચયસમ્યકત્વનું સ્વરૂપ તથા વ્યવહારસમ્યકત્વનું સ્વરૂપ લખ્યું તે સત્ય છે; પરંતુ એટલું જાણવું કે સમ્યકત્વીને વ્યવહારસમ્યકત્વને વિષે નિશ્ચયસમ્યકત્વ ગર્ભિત છે, નિરંતર ગમનરૂપ
છે.”
જાઓ, આમાં ખાસ સિદ્ધાંત છે; નિશ્ચય વ્યવહારનો સ્પષ્ટ ખુલાસો છે. કોઈ કહે કે ચોથા ગુણસ્થાને નિશ્ચય સમ્યકત્વ ન હોય, -તો એ વાત સાચી નથી. ચોથા ગુણસ્થાને પણ નિશ્ચય સમ્યકત્વ નિરંતર પરિણમી જ રહ્યું છે. વ્યવહાર સમ્યકત્વની સાથે જ જો નિશ્ચય સમ્યકત્વ ન વર્તતું હોય તો તે વ્યવહાર સમ્યકત્વ પણ સાચું નથી, એટલે કે ત્યાં સમ્યકત્વ જ નથી પણ મિથ્યાત્વ છે.
અહીં વ્યવહાર સમ્યકત્વમાં નિશ્ચય સમ્યકત્વ ગર્ભિત કહ્યું; ગર્ભિતનો અર્થ “ગૌણ” ન સમજવો, પણ એક વસ્તુ કહેતાં બીજી વસ્તુ તેમાં આવી જ જાય એવો ગર્ભિતનો અર્થ અહીં સમજવો. દેવ-ગુરુશાસ્ત્રની શ્રદ્ધા વગેરેને જ્યાં વ્યવહાર સમ્યકત્વ કહ્યું ત્યાં શુદ્ધાત્માના શ્રદ્ધાનરૂપ નિશ્ચય સમ્યકત્વ પણ ભેગું છે જ એમ સમજી લેવું. જો એવું શુદ્ધાત્મશ્રદ્ધાન ન હોય તો તો ત્યાં સમ્યકત્વ જ નથી, ત્યાં તો મિથ્યાત્વ છે; અને મિથ્યાદષ્ટિને તો વ્યવહાર સમ્યકત્વ હોવાની પણ અહીં ના પાડે છે.
અમુક લોકોનો એવો મત છે કે પહેલો વ્યવહાર ને પછી નિશ્ચય; તો એનો અર્થ એ થયો કે એને વ્યવહારની સાથે નિશ્ચયનું પરિણમન નથી, એટલે એકલો શુભરાગ છે; તેને અહીં સમ્યકત્વ કહેતા નથી. જેને નિશ્ચય સમ્યકત્વનું પરિણમન છે તેને જ સમ્યગ્દર્શન છે, જ્યાં નિશ્ચય નથી ત્યાં
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk