________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૪ : અધ્યાત્મ-સંદેશ ભલે કેવળજ્ઞાન જેવી અનંત પડખાંની સ્પષ્ટતા શ્રુતજ્ઞાનમાં ન હોય પણ વિપરીતતા તો નથી. શ્રુતજ્ઞાને પણ બધા જ પદાર્થોના સ્વભાવનો (ઉત્પાદ-વ્યય-ધ્રુવસ્વભાવ, અસ્તિ-નાસ્તિસ્વભાવ વગેરે સ્વભાવનો). કેવળજ્ઞાન અનુસાર પરોક્ષ નિર્ણય કરી લીધો છે કે જગતના બધા પદાર્થોનો સ્વભાવ આવો હોય. કેવળી ભગવાન બધા પદાર્થોની અવસ્થા ક્રમબદ્ધ થવાનું જાણે ને શ્રુતજ્ઞાની તેનાથી વિપરીત (અક્રમે થવાનું) જાણે એમ બનતું નથી; કેવળી ભગવાન એમ જાણે કે વીતરાગભાવ તે ધર્મ છે ને શ્રુતજ્ઞાની એમ જાણે કે શુભરાગ તે ધર્મ છે-એમ વિપરીતતા હોતી નથી. માર્ગ તો જેવો કેવળી ભગવાને જાણો તેવો જ શ્રુતજ્ઞાની જાણે છે, તેમાં રંચ પણ ફેર નથી.
આ રીતે કેવળજ્ઞાન અને સમ્યક મતિશ્રુતજ્ઞાન એક જાતના હોવાથી મતિશ્રુતજ્ઞાન કેવળજ્ઞાનનો પણ નિર્ણય કરી શકે છે. “મને સ્વાનુભવ થયો કે નહિ અથવા હું ભવ્ય છું કે નહિ, તે કેવળી જાણે, આપણને એની ખબર ન પડે–આવાં વચન જ્ઞાનીનાં હોય નહીં. પોતાના સ્વસંવેદનપ્રત્યક્ષના બળે જ્ઞાની તો નિઃશંક (કેવળજ્ઞાની જેટલો જ નિઃશંક) જાણે છે કે મને મારા આત્માનો સ્વાનુભવ થયો, ભવટ્ટી થઈ ગઈ, અને ભવ્ય તો છું જ પણ અત્યંત નિકટ ભવ્ય છું, આત્માનો આરાધક થયો છું ને પ્રભુના માર્ગમાં ભળ્યો છે. હવે અમારે આ ભવભ્રમણમાં રખડવાનું હોય નહિ. આમ અંદરથી આત્મા પોતે જ સ્વાનુભવના પડકાર કરતો જવાબ આપે.
પ્રશ્ન:- અજ્ઞાની પણ કેવળજ્ઞાનનો સમ્યક નિર્ણય કરી શકે કે નહીં ?
ઉત્તરઃ- ભાઈ, કેવળજ્ઞાનનો સમ્યનિર્ણય કરતાં અજ્ઞાન રહે નહિ કેમકે કેવળજ્ઞાનનો નિર્ણય તેની જાતના અંશ વડે જ થાય છે, તેનાથી વિરુદ્ધ ભાવ વડે કેવળજ્ઞાનનો નિર્ણય થાય નહિ. રાગવડ કે અજ્ઞાનવડે કેવળજ્ઞાનનો આવો નિર્ણય થાય નહીં. સામાન્યપણે તે ભલે કેવળજ્ઞાનીને સ્વીકારતો હોય પણ જે તેનું સાચું સ્વરૂપ ઓળખીને સ્વીકારે તો તે અજ્ઞાની રહે નહીં. એ જ વાત છે. ટોડરમલ્લજીએ મોક્ષમાર્ગપ્રકાશકમાં પણ કહી છે: “અતદેવના કોઈ વિશેષણો તો પુદ્ગલાશ્રિત છે ને કોઈ વિશેષણ જીવાશ્રિત છે, તેને અજ્ઞાની ભિન્ન ભિન્ન ઓળખતો નથી.. જે બાહ્ય વિશેષણો છે તેને જાણી તેનાથી અરહંતદેવનું મહાનપણું માને છે, પણ જીવનમાં જે વિશેષણો છે તેને યથાવત્ ન જાણતાં એ વડે અરહંતદેવનું મહાનપણું માત્ર આજ્ઞાનુસાર માને છે, અથવા અન્યથા પણ માને છે; જો જીવના યથાવત્ વિશેષણો જાણે તો મિથ્યાદષ્ટિ રહે નહિ.”
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk