________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સ્વાનુભવરૂપ શ્રુતજ્ઞાનની અચિંત્ય તાકાત
5
แ
ચોથા ગુણસ્થાનવાળાને મતિ-શ્રુતરૂપ સમ્યજ્ઞાન છે, અને
તેરમા ગુણસ્થાને કેવળરૂપ સમ્યજ્ઞાન છે. વળી એકદેશ-સર્વદેશનું તો એટલું જ અંતર છે કે, મતિશ્રુતજ્ઞાનવાળા અમૂર્તિક વસ્તુને પરોક્ષ, અને મૂર્તિક વસ્તુને પણ પ્રત્યક્ષ કે પરોક્ષ કિંચિત્ અને અનુક્ર્મપૂર્વક જાણે છે, જ્યારે કેવળજ્ઞાન સર્વથા સર્વને યુગપત્ જાણે છે. તે (મતિ-શ્રુત) પરોક્ષ જાણે છે ને આ (કેવળજ્ઞાન) પ્રત્યક્ષ જાણે છે, એટલો જ વિશેષ (તફાવત) છે. પણ જો સર્વ પ્રકારે એક જ જાતિ કહીએ તો જેમ કેવળજ્ઞાની યુગપત, પ્રત્યક્ષ, અપ્રયોજનરૂપ, (સર્વ) જ્ઞેયોને નિર્વિકલ્પપણે જાણે છે તેમ આ મતિ-શ્રુતજ્ઞાની પણ જાણે,-પરંતુ એમ તો નથી. તેથી તેમાં પ્રત્યક્ષ-પરોક્ષનો વિશેષ જાણવો.
‘અષ્ટસહસ્ત્રી ’માં કહ્યું છે કે
स्याद्वादकेवलज्ञाने
सर्वतत्त्वप्रकाशने। भेद साक्षात्असाक्षात् च ह्यवस्त्यन्यतमं भवेत्।। ९०-९०५ ।।
તેનો અર્થ-સ્યાદ્વાદ એટલે કે શ્રુતજ્ઞાન અને કેવળજ્ઞાન એ બંને સર્વ તત્ત્વોને પ્રકાશનારાં છે; વિશેષ એટલો કે કેવળજ્ઞાન પ્રત્યક્ષ છે અને શ્રુતજ્ઞાન પરોક્ષ છે. પરંતુ વસ્તુપણે તેઓ ભિન્ન નથી.”
જુઓ, આમાં તેરમા ગુણસ્થાનનું કેવળજ્ઞાન અને ચોથા ગુણસ્થાનનું શ્રુતજ્ઞાન એ બંનેની એક જાતિ કઈ રીતે છે ને બંન્નેમાં તફાવત કયા પ્રકારે છે તે સંબંધી સ્પષ્ટતા કરી છે.
જેમ અંશી ને તેનો અંશ જુદા નથી તેમ કેવળજ્ઞાન ને શ્રુતજ્ઞાન વસ્તુપણે જુદા નથી. જેમ કેવળજ્ઞાન અને રાગ એ બંનેની તો જાત જ જાદી છે, પરંતુ તેમ કાંઈ કેવળજ્ઞાન અને શ્રુતજ્ઞાનની જાત જુદી નથી; સમકિતી
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk