SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ આ જગત "અધિષ્ઠાન-રૂપે સત્ય" છે,બાધરહિત છે,અખંડિત છે,આદિ-અંત થી રહિત છે,જ્ઞાન-માત્ર છે, અને આકાશ ની પેઠે સ્વચ્છ છે. તે "પર-બ્રહ્મ" માં "બ્રહ્મા" એ "શૂન્ય-રૂપ" જ છે. પણ જે "પર-બ્રહ્મ" છે તે જ -સર્વદા "શૂન્ય" એવા "બ્રહ્મા-રૂપે" પ્રકાશે છે. એ "બ્રહ્મા" એ "બ્રહ્મ" (પર-બ્રહ્મ)ના મનોમય શરીર-વાળા છે.પણ "પાંચ-મહાભૂત-શરીર" વાળા નથી. પૃથ્વી-વગેરે પદાર્થો, એ "બ્રહ્મા" ના "સંકલ્પ" થી થયેલા છે-માટે તે સત્ય નથી. પણ સસલા ના શિંગડા -જેવા અજાત પદાર્થો જેવા છે. (૧૪) બ્રહ્મ ની સત્તા નું વર્ણન વશિષ્ઠ કહે છે કે-એ રીતે જગત અને અહંકાર -વગેરે કંઈ પણ દૃશ્ય ઉત્પન્ન થયું નથી.અને ઉત્પન્ન થયેલું નહિ હોવાને લીધે-તે મુદ્દલ છે જ નહિ. જે કંઈ છે તે "બ્રહ્મ" જ છે. જેમ,સમુદ્ર નું જળ તરંગ-પણા ને પ્રાપ્ત થાય છે,તેમ "બ્રહ્મ" એ પોતે જ પ્રથમ "જીવ-પણા" ને પ્રાપ્ત થાય છે,પણ, એ રીતે "જીવ-પણું" ધારણ કરવાથી,તેનું "બ્રહ્મ-પણું" મટી જતું નથી. જેમ,સંકલ્પ-રૂપ-ચૈતન્ય ની વૃત્તિ,"સ્વપ્ન ના પર્વત" વગેરે ને પ્રિય માને છે, તેમ,ભ્રાંતિ થી આ "વિરાટ-દેહ" ને પણ પ્રિય માને છે. આ જે મોટો "વિરાટ-દેહ" છે તે પૃથ્વી-આદિ થી રહિત છે,મનોમય જ છે અને ચૈતન્યમાત્ર બ્રહ્મમય જ છે. આ વિરાટ દેહ એ કોઈ પણ જગ્યાએ નિશ્ચિત હોય તેમ નથી અને સ્વપ્ન ના પર્વત જેવો છે. સ્વપ્નમાં દેખાયેલું નગર જો સ્થિર રહે,તો આ વિરાટ-દેહ સ્થિર રહે,એમ છે. ચિત્રકાર ના મનમાં રહેલું ચીતરવાનું સૈન્ય જો સ્થિર રહે તો-આ વિરાટ-દેહ સ્થિર રહે તેમ છે. તે "બ્રહ્મ-રૂપ" વિરાટ-દેહ -તે ઉત્તમ સ્તંભ માં વણ-કોતરાયેલી પૂતળી-રૂપ છે. પહેલા પ્રજાપતિ-એ -"બ્રહ્મા" કહેવાય છે. તે પણ પૂર્વ-કાળ નાં કર્મ આદિ -કોઈ કારણો નહિ હોવાને લીધે-કારણો વિનાના જ છે. પૂર્વ-કાળ ના સઘળા બ્રહ્માઓ (દરેક "કલ્પ" ના બ્રહ્માઓ) મહા-કલ્પો ના અંતમાં મુક્ત જ થઇ જાય છે. માટે આ "કલ્પ" ના બ્રહ્માનાં પૂર્વ-કર્મો ક્યાંથી હોય? જેમ,દર્પણ માં પ્રતિબિમ્બિત પદાર્થ એ મિથ્યા છે,તેમ બ્રહ્મમાં પ્રતીત થયેલા "બ્રહ્મા" પણ મિથ્યા જ છે. તે-દૃશ્ય નથી,દ્રષ્ટા નથી,સ્ત્રષ્ટા(સર્જન કરનાર) નથી કે સૃજ્ય (સર્જન કરેલી વસ્તુ) પણ નથી. જેમાં સઘળાં નામ-રૂપો ની કલ્પના થાય છે એવું "બ્રહ્મ" એક જ છે. જેમ એક દીવામાંથી અનેક દીવાઓ ઉદય પામે છે,તેમ એક બ્રહ્મ માંથી અનેક જીવો ઉદય પામે છે. જે,એક સ્વપ્નમાંથી બીજા સ્વપ્નાઓનો ઉદય થાય છે,તેમ હિરણ્યગર્ભમાંથી "વિરાટ"નો ઉદય થાય છે. અને એ "સંકલ્પ-માત્ર વિરાટ"માંથી વ્યષ્ટિ-દેહ નો ઉદય થાય છે. આથી વિરાટ અને વ્યષ્ટિ-દેહ -પૃથ્વી આદિથી રહિત જ છે. પ્રથમ "સંકલ્પ-રૂપ -એ એક વિરાટ" માંથી,જે "બીજા સંકલ્પો-રૂપ જીવો" ઉદય પામે છે, તેમની ઉત્પત્તિ માં બીજાં કોઈ "સહાયકારી કારણો" હોતાં નથી.તેથી તે "જીવો" એ વિરાટ-રૂપ જ છે. સહાયકારક કારણો ન હોય તો,"કાર્ય" અને "કારણ" એક જ હોય છે. આથી,બ્રહ્મમાંથી,આ જે ભ્રાંતિ-રૂપ સૃષ્ટિ ઉદય પામી છે,તે બ્રહ્મ થી ભિન્ન નથી. "સૃષ્ટિ" વિરાટ થી અભિન્ન છે,અને વિરાટ-એ-બ્રહ્મ થી અભિન્ન છે.માટે "જીવ" એ "બ્રહ્મ" છે. 99
SR No.008125
Book TitleYog Vaasishtha Part 01
Original Sutra AuthorN/A
AuthorAnil Pravinbhai Shukla
PublisherAnil Pravinbhai Shukla
Publication Year2014
Total Pages255
LanguageGujarati
ClassificationBook_Other
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy