________________
જેમ સ્વપ્ન માં બાંધ્યા વિનાનું નગર તરત ઉત્પન્ન થાય છે, તેંમ આ ક્રમ પ્રમાણે તરત જ એ ગોટો ઉત્પન્ન થાય છે.
આ બ્રહ્માંડ-રૂપી મોટું જાળું,ચિદાકાશ રૂપી મોટા વનમાં ઉત્પન્ન થઇને પાછું નાશ પામે છે.
જગત-રૂપી કરજોના કુંજો નું વાવ્યા વિનાના બીજ જેવું જ જે છે-તે-"મન" છે. તેને પૃથ્વીની,જળ ની,ગરમી વગેરેની કશાની અપેક્ષા રહેતી નથી. જેમ સ્વપ્ન નો દ્રષ્ટા એ નગરને ઉત્પન્ન કરે છે, તેમ,"બ્રહ્મ માં કલ્પાયેલું" એ "મન" એ પાછળથી પૃથ્વી વગેરે ને ઉત્પન્ન કરે છે.
એ "મન" ગમે ત્યાં રહ્યું હોય તો પણ,જગત-વગેરે ના અંકુર ને ઉત્પન્ન કર્યા જ કરે છે. જગત નું બીજ એ "મન-રૂપી" પાંચ તન્માત્રાઓ છે.અને એ પાંચ તન્માત્રાઓ નું બીજ"પર-બા" છે. માટે જગત-એ-બ્રહ્મમય જ છે. કારણ કે જે બીજ હોય,તે જ અંકુર-આદિ રૂપે થાય છે.
આવી રીતે સૃષ્ટિ ના આરંભમાંપર-બ્રહ્મ-રૂપ "આકાશ"માં -બ્રહ્મ ના તે તે પદાર્થો-રૂપે પ્રતીત થવાના સ્વ-ભાવ ને લીધે, અધિષ્ઠાન થી અભિન્ન એવો "શબ્દ" વગેરે પાંચ વિષયો નો સમૂહ-"કલ્પના" થી જ ઉઠયો છે. જો કે વાસ્તવિક રીતે જોવા જતાં તો તે ઉત્પન્ન થયો જ નથી.
શબ્દ-વગેરે વિષયોના સમૂહો વૃદ્ધિ પામીને જે કંઈ આ જગત બનાવે છે-તે પણચિદાકાશ માં અધ્યાસ (આરોપ) કરીને જ બનાવવામાં આવે છે, તે "કલ્પિત" છે અને "સત્ય" નથી, માટે જગતની "સ્થિતિ" એ પોતાની સત્તા થી નહિ, પણ "અધિષ્ઠાન (બ્રહ્મ) ની સતા થી જ છે.
જે કલ્પિત પદાર્થો થી થયું હોય તે વાસ્તવિક હોતું નથી. જેનું સ્વરૂપ જ "કલ્પના-મય" હોય-તેને "સત્ય-પણા" ની પ્રાપ્તિ કેમ કરી ને સંભવે? આમ,શબ્દ-વગેરે-પાંચ વિષયો- એ "બ્રહ્મ-રૂપ" જ છે, અને તેથી તેમનાં કાર્યો" પણ બ્રહ્મ-રૂપ જ છે. અને જેથી કરીને આખું "બ્રહ્માંડ" પણ "બ્રહ્મરૂપ" જ છે.
જેમ, સૃષ્ટિના પ્રારંભ માં શબ્દ-વગેરે પાંચ વિષયો ની ઉત્પત્તિ મિથ્યા પ્રતીત થાય છેતેમ,ઉત્તર-કાળ (ઉત્પત્તિ પછી ના સમયમાં) તે વિષયો થી થતાં કાર્યો ની ઉત્પત્તિ પણ મિથ્યા જ છે. આમ,જગત કદી પણ ઉત્પન્ન થયું નથી અને અધિષ્ઠાન થી જુદું જોવામાં આવતું નથી.
જેમ સ્વપ્ન માં "સંકલ્પ" થી ઉત્પન્ન થયેલું નગર -એ "અસત" હોવાં છતાં "સત" લાગે છે, તેમ,પરમ-પ્રકાશમય "બ્રહ્માકાશ" માં "જીવ-પણું" "અસત" છતાં "સત" જેવું પ્રતીત થાય છે. જેમ,"મહાકાશમાં (ઘડા ને લીધે) મર્યાદિત "ઘટાકાશ" નો ઉદ્ભવ થાય છે, તેમ,"બ્રહ્માકાશ" માં (શરીર ને લીધે) મર્યાદિત "જીવ" (આત્મા) નો ઉદ્ભવ થાય છે.
એ "જીવ" આ સ્થળ દેહ ને કેવી રીતે પામે છે?-તે વિષે હવે હું કહું છું તે તમે સાંભળો.
પરમાત્મા માં "કલ્પાયેલો" -સમષ્ટિ "જીવાકાશ" એ"હું તણખા જેવો અત્યંત નાનો તેજ નો કણ છું" એમ ચિંતવન (વિચાર) કરે છે, અને તેથી