________________
95
અને સંકલ્પ ને લીધે જ તે પોતાના માં "ગંધ-પણા"ને જુએ છે. "ભવિષ્ય ના ભૂગોળ-પણા" માટે "પ્રાણીઓ ની આકૃતિ"ઓ નું તે બીજ છે. અને સર્વના આધાર એ "પૃથ્વી-રૂપી" ચૈતન્યમાંથી ભવિષ્યમાં "સંસાર" વિસ્તાર પામે છે.
આ રીતે ઉપર મુજબ-બતાવેલ જુદાજુદા ભતો (આકાશ-વાય-તેજ-જળ-પથ્વી) ના "અહંભાવ" (અહંકાર) ને પામેલું,"ચૈતન્ય" જ "ભાવના" કરે છે.અને-તેથી "તન્માત્રાઓ" (શબ્દ-સ્પર્શ-વગેરે) પરસ્પર એકઠી થઈનેજેમ પાણી માં પરપોટા થાય છે તેમ તે "ચૈતન્ય" માં જ નિત્ય-અનેક બ્રહ્માંડ (પદાર્થ) રૂપો પોતાની મેળે જ પેદા થાય છે. અને એ પદાર્થો નો જ્યાં સુધી નાશ થઇ જતો નથી. ત્યાં સુધી તે પદાર્થોસ્પષ્ટ રીતે જુદા ના પાડી શકાય તેમ એકઠા મળી ને રહેલા છે.
ઉપર કહેલા સર્વ પદાર્થો એ."પર-બ્રહ્મ" માં જ રહેલા છે. જેમ,એક સૂક્ષ્મ-બીજમાં અનેક વડ રહેલા છે અને તે અનેક-રૂપે,શાખાઓ-રૂપે ઉત્પન્ન થાય છેતેમ,બ્રહ્મ-રૂપ બીજમાં પણ અનેક બ્રહ્માંડો રહેલા છે અને તે અનેક રીતે ઉત્પન્ન થાય છે, તથા, સેંકડો શાખાઓથી ઝૂરે છે.
પરમાણુજેવા એ "સૂક્ષ્મ-બ્રહ્મ" માં માયા (પ્રપંચ) ને લીધે એ બ્રહ્માંડો પ્રતીત થાય છે અને ક્ષણમાત્રમાં તો તે વધી જાય છે. આ સઘળાં બ્રહ્માંડો- એ "ચૈતન્ય" ના વિવર્ત-રૂપ જ છે અને એમ હોવાથી તે "નિર્વિકાર" છે.
આ જે તન્માત્રાઓ (શબ્દ-સ્પર્શ-વગેરે) નો સમૂહ છે -તે "સંકલ્પ-રૂપ-પણા" ને પામેલ "ચૈતન્ય" જ છે. એ ચૈતન્ય એ પોતે નિર્વિકાર છે છતાં પોતાની જ્ઞાન-શક્તિ થી પોતાના માં જગત ને ત્રસરેણુ (ત્રણ અણુ) સમાન દેખે છે.
જગત નું બીજ "પાંચ-તન્માત્રાઓ" (શબ્દ-સ્પર્શ-વગેરે) છે. તે તન્માત્રાઓ નું બીજ-પરમાત્મા ની સાથે સાક્ષાત સંબંધ ધરાવનારી "માયા-શક્તિ" છે. અને એ "માયા-શક્તિ" નું બીજ પરમાત્મા (બ્રહ્મ) જ છે. એમ વિદ્વાનો નો સર્વદા અનુભવ છેમાટે જે જગત છે તે અજ અને આદિ-રૂપ બ્રહ્મ જ છે અને આ જગત એ "બ્રહ્મ" ના "વિવર્ત-રૂપ" જ છે.
(૧૩) "બ્રહ્મ" ને "જીવ" ભાવ ની પ્રાપ્તિ
વશિષ્ઠ કહે છે કે-હે રામ,જેમાં આકાશ-તેજ કે અંધકાર થયા નહોતા એવા - ચિદ્રુપ,
વિસ્તીર્ણ અને સ્વ-રૂપે સ્થિર રહેલા નિર્વિકાર "પરબ્રહ્મ" માં - --દૃશ્ય પદાર્થો રૂપે પ્રતીત થવાના સ્વ-ભાવને લીધે-પ્રથમ-"વિષયો ની કલ્પના" ઉઠી. --તે પછી,ચિત્ત-રૂપે પ્રતીત થવાને લીધે "ચિત્ત ની કલ્પના" ઉઠી. --પછી,દ્રશ્યો ની સાથે સંયુક્ત થઈને જીવ-રૂપ પ્રતીતિ થવાના સ્વ-ભાવને લીધે "ચિત્તની કલ્પના" ઉઠી,
--પછી દ્રયો ની સાથે એકરૂપ-પણું પ્રતીત થવાની "અહંભાવ ની કલ્પના" ઉઠી. --પછી,અહંભાવ ની વૃદ્ધિ થવાથી "બુદ્ધિ-પણા ની કલ્પના" ઉઠી. --એવી જ રીતે શબ્દ-વગેરે વિષયોનું મનન કરનાર મન (અને બીજા કેટલાક ભાવો) ની કલ્પના ઉઠી, --પછી,શબ્દ-વગેરે તન્માત્રાઓ નું પંચીકરણ થવાથી વૃદ્ધિ પામેલ અને તેથી સ્થૂળ-પણા ને પામેલ, તે મનમાંથી આવી રીતનો -બ્રહ્માંડ -વગેરે રૂપ મોટો ગોટો ઉત્પન્ન થયેલ જોવામાં આવે છે.